SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી ૨૫૩ વિવેચન= જંગલમાં સ્વતંત્રપણે છુટા ફરનારા પરાક્રમી સિંહ નામના પ્રાણીઓ દિવસે બહાર ઘુમતા હોય છે. અને સંસ્થા આદિ વેળાએ પર્વતોની પોતપોતાની ગુફામાં વસનારા હોય છે. જે જંગલોમાં સિંહો ઘુમતા હોય છે. તે જંગલોમાં, સિંહોનો વાત્સલ્યભાવ જેણે પ્રાપ્ત કરી લીધો છે તેવા પુરુષોને હરવા-ફરવા અને ચાલવામાં, ત્યાં ચારે બાજુ ફરતા એવા જંગલી હાથીઓના ટોળાનો ભય ક્યાંથી હોય ? જે પુરુષને સિંહ બચાવનાર છે. તે પુરુષને ગજગ્રાહનો ભય સંભવતો જ નથી. તેવી જ રીતે હે પરમાત્મા ! તમે વીતરાગ (નિરીહ) છો. તેથી જ પરાક્રમી સિંહ સમાન છો. તમને તમારી વાણીને અને આપશ્રીએ બતાવેલા ધર્મતત્ત્વને) મેં મારા હૃદયમાં બરાબર વસાવ્યા છે. તેથી અન્યધર્મો-અન્યદર્શન મને પોતાની જાળમાં ફસાવે એવો ભય હવે મને રહ્યો જ નથી. કારણ કે તે સર્વે અન્યમતો કરતાં બળવાન ધર્મનો (બળવાન વ્યક્તિનો) મેં આશ્રય કર્યો છે. આપ પરાક્રમી સિંહસમાન છો. મારા હૃદય પર્વતોની ગુફા સમાન છે. અન્યમતો એ હાથીઓના ટોળા સમાન છે. જ્યાં સિંહ વસે છે ત્યાં જંગલી હાથીઓના ટોળાનો ભય લાગતો નથી તેમ જ્યાં આપશ્રી વસો છો ત્યાં અન્યમતોનો (ત્યાં ફસાઈ જવાનો) ભય લાગતો નથી. આપશ્રીનાં યુક્તિસંગત વચનોના અભ્યાસના સહાયથી અમે લલચાવનારાં અન્યદર્શનોનાં વચનોને દૂરથી જ ફગાવી દેનારા વિદ્વાન બન્યા છીએ. જેને બળવાનની સહાય હોય છે તે પોતે પણ તેની મદદથી બળવાન બને છે. તે ૧૧-૭ છે કોડી છે દાસ પ્રભુ તાહરે, માહરે દેવ તું એક રે | કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક રે ૧૧-૮ સ્વામી સીમંધર તું જ્યો / ૧૨૧ / ગાથાર્થ= હે પ્રભુ ! તમારે તો કરોડો સેવક છે. પરંતુ મારે તો તું એક જ સ્વામી છે. તેથી આ સેવકની સારસંભાળ કરવી એ તમારો ઉચિત વિવેક ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy