SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨00 પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સેવન તથા શારીરિક તૃપ્તિ માણવા રૂપ વિષયસેવન કરનારા હોવાથી કલેશરૂપ જ થશે. (૨) ગુરુજી આવતા હોય ત્યારે સામા જવું, તેડવા જવું, મુકવા જવું, વગેરે પ્રકારે માન આપવામાં પણ જવા-આવવા દ્વારા વાઉકાય આદિ જીવોની હિંસા હોવાથી કલેશરૂપ થશે. (૩) ગુરુને વંદનાદિ કરવામાં ઉભા થવાની અને બેસવાની ક્રિયા કરવામાં વાઉકાય આદિનો આરંભ હોવાથી તથા વંદન કરવા માટે એક ગામથી બીજે ગામ કાર આદિ દ્વારા જતાં છએ કાયનો આરંભ થાય છે. તેથી તે પણ કલેશરૂપ બનશે. (૪) તથા પ્રતિવર્ષ એકવાર ગુરુને વંદન કરવા આવવું જ. ઈત્યાદિ આદેશ (આજ્ઞા) કરવામાં અને પાળવામાં પણ સાવદ્યતા હોવાથી કલેશરૂપ બનશે. ધર્મવ્યવહારની ઉપરોક્ત સર્વે પણ શુભક્રિયાઓ યત્કિંચિત્ આરંભવાળી હોવાથી શ્રાવક-શ્રાવિકાના જીવનમાં તે પણ અકર્તવ્ય જ બની જશે. તેથી સર્વસાવદ્યના ત્યાગી સાધુને જે આચરવા યોગ્ય નથી તે જિનપૂજા આદિ શુભકાર્યો શ્રાવક-શ્રાવિકાના જીવનમાં આચરવાનાં જ હોય છે. આ કાર્યો અલ્પ સાવદ્ય અને વિપુલ સંવર-નિર્જરાવાળાં હોવાથી કર્તવ્ય જ ઠરે છે. | ૮-૬ || સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય | જે કારણ જિનગુણ બહુમાન, તે અવસર વરતે શુભધ્યાન // ૮-૭ | | ૯૦ || ગાથાર્થ= જિનપૂજા આદિ ધર્મકાર્યો સ્વરૂપથી સાવદ્ય દેખાય છે પરંતુ અનુબંધની અપેક્ષાએ નિરવદ્ય કાર્ય છે. કારણકે જિનેશ્વરની પૂજાના કાળે તેઓના ગુણો ગાવા દ્વારા બહુમાનના અવસરે જીવોને શુભધ્યાન વર્તે છે. ૮-૭ II વિવેચન= આરંભ-પરિગ્રહધારી એવા શ્રાવક-શ્રાવિકાઓને પોતપોતાની શક્તિને અનુસાર વિવિધ પ્રકારનાં ઉત્તમ દ્રવ્યોથી જિનેશ્વર પરમાત્માની દ્રવ્યપૂજા કરવાની શાસ્ત્રોમાં કહેલી છે. વળી આ પૂજા કરતી વખતે સંસારના સુખ દુઃખ ઉપરના રાગ-દ્વેષ કેમ ઘટે ? પુલાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy