SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત છે. આત્મલક્ષ્ય વિનાના તે જીવો સંસારમાં પરિભ્રમણ કરનારા છે. તેઓના જે વ્યવહારો છે. તે અશુદ્ધ વ્યવહારો છે. એમ જાણવું. / ૬-૧૨ નિર્દય હૃદય છ કાયમાં, જે મુનિ વેશે પ્રવર્તી રે | ગૃહી-યતિ ધર્મથી બાહિરા, તે નિર્ધન ગતિ વર્ત રે / ૬-૧૩ . તુજ વિણ ગતિ નહીં જંતુને | ૭૬ | ગાથાર્થ= જે મુનિઓ વેશ ધારણ કરીને છએ કાયની હિંસામાં નિર્દયપણે પ્રવર્તે છે તે જીવો શ્રાવકધર્મ અને સાધુધર્મ એ બન્ને પ્રકારના ધર્મથી ભ્રષ્ટ થએલા અને આત્મધનની અપેક્ષાએ નિધન થયા છતા સંસારની ચારે ગતિમાં રખડનારા બને છે. તે ૬-૧૩ છે વિવેચન= જે મુનિઓ સ્વાધ્યાય, સત્સંગ, વાચના આપવી-લેવી, પરમાર્થપદપોષક ગ્રંથોનું ચિંતન-મનન, વૈરાગ્યવાહી દેશના આપવી અને સાંભળવી, કોમળ અને પાપભીરુ હૃદયવાળા બનવું ઈત્યાદિ અનુપમ અને આત્મતત્ત્વસાધક શુદ્ધવ્યવહારોને ત્યજીને ઉત્તમત્યાગવાળો તથા નિઃસ્પૃહતાને પ્રગટ કરનારો એવો સાધુનો વેશ ધારણ કરીને કેવળ લોકોમાં પ્રતિષ્ઠા મેળવવા, માનભુખ્યા જે લોકો એ કાયની મોટી હિંસાવાળાં, ઘણા મોટા આડંબર વાળાં સાવદ્ય કાર્યો કરે છે. પાપથી અલ્પ પણ ડરતા નથી અને આપણે સર્વવિરતિ ગ્રહણ કરતી વેળાએ “કરેમિ ભંતે” સૂત્ર બોલવા પૂર્વક સર્વ સાવદ્યયોગોનો યાવજીવ સુધી ત્યાગ કર્યો છે આવું સ્વયં સ્વીકારેલું પચ્ચકખાણ સ્મરણમાં પણ લાવતા નથી. તે આત્માઓ શ્રાવકધર્મ અને સાધુધર્મ એમ ઉભયધર્મથી ભ્રષ્ટ થયેલા જાણવા. શ્રાવકધર્મમાં યથાર્થપણે રહેનારા જીવો પણ નિર્ભયપણે છ કાયની હિંસા કરતા નથી. અને અજાણતાં પણ કોઈ હિંસા થઈ જાય તો પણ હૃદય ડંખે છે. અને અજાણતાં અથવા સંજોગોની પરવશતાથી થયેલા પાપોની નિંદા-ગ કરી આલોચના-પ્રાયશ્ચિત્ત કરે છે તથા પુનઃ નહીં કરવા રૂપે પ્રતિક્રમણ કરે છે. વંદિત્તા સૂત્રની ગાથા-૫ અને ૩૬માં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy