SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ - શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી વિવેચન= આ સંસારમાં કોઈ પણ કાર્ય કરનારા આત્માઓની પાત્રતા ભિન્ન ભિન્ન હોય છે. એક જ ગુરુજીની પાસે એક જ વર્ગમાં એકી સાથે અભ્યાસ કરતાં ૫૦ વિદ્યાર્થીઓને એક જ વિષયનું એક સરખું જ્ઞાન ગુરુજી દ્વારા આપવામાં આવ્યું હોય છે. તો પણ તે વિદ્યાર્થીઓમાં પાત્રતાને અનુસારે જ ફળ આવે છે. આ વાત અનુભવ સિદ્ધ છે. તેવી જ રીતે અહીં આત્મતત્ત્વની પ્રાપ્તિ માટેની યોગ્યતા (પાત્રતા-ઉપાદાનતા) બધા જીવોમાં સરખી હોતી નથી. “બહુ દલ” એટલે અનેક પ્રકારની ઉપાદાનતા હોય છે. મોક્ષે જવા માટેનો ભવસ્થિતિ પરિપાક કોઈનો પાકી ચૂક્યો હોય, કોઈનો અલ્પ અલ્પતર પાક્યો હોય અને કોઈનો હજા ન પણ પાક્યો હોય. તેથી ધર્માર્થી એવા જીવોમાં ઉપાદાનના બહુ પ્રકારની ભિન્નભિન્ન હોય છે. પાત્રતાની ભિન્નભિન્નતાના કારણે જ જૈનશાસ્ત્રકારોએ “ગુર્જનજ્ઞાન વારિત્રાળ મોક્ષH:” તથા જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ: વિગેરે સૂત્રો દ્વારા શ્રદ્ધા-જ્ઞાન અને ચારિત્ર આ ત્રણે ગુણોની એકાકારપણે બનેલી આત્મપરિણતિને જ મોક્ષમાર્ગ કહ્યો છે. તથા જ્ઞાન અને ક્રિયા એમ ઉભયાત્મક આત્મપરિણામને જ મોક્ષ કહ્યો છે. આમ આત્મશુદ્ધિમાં જ્ઞાન અને ક્રિયા એમ બન્નેની પરસ્પર સાપેક્ષભાવે આવશ્યકતા છે. અને આજ સાચો માર્ગ સ્વીકારીને મોક્ષે જનારા જીવોની સંખ્યા અનંતી છે. ભરત મહારાજા આદિની જેમ અપવાદ માર્ગે મોક્ષે જનારાની સંખ્યા અતિશય અલ્પ છે. તેથી “વ્યવરે શિવ યોગ” વ્યવહારમાર્ગ સ્વીકારી-પાળીને મુક્તિ પ્રાપ્ત કરવી, આ જ રાજમાર્ગ છે. ધોરીમાર્ગ છે. પ્રસિદ્ધમાર્ગ છે. આ પ્રમાણે હોવા છતાં અજ્ઞાન અને મિથ્યાત્વમોહની તીવ્રતાની કારણે કેવળ એક જ્ઞાન જ મુક્તિનું કારણ છે, ક્રિયાની જરૂર નથી (અથવા તપ-જપ-સંયમ આદિ ક્રિયા જ મુક્તિનો હેતુ છે. જ્ઞાનની જરૂર નથી) આ પ્રમાણે એકાન્ત માર્ગની જે આત્માઓ પ્રરૂપણા કરે છે. તે સૂત્રવિરૂદ્ધ છે. જે ભરતાદિનાં ઉદાહરણો બન્યાં છે તે આત્મશુદ્ધિની અતિશય તીવ્ર પરિણતિના કારણે વિશિષ્ટ વ્યવહાર સ્વીકારવાના સમયના અભાવે બન્યાં છે. પરંતુ વ્યવહારના ઉદરૂપ બન્યાં નથી. છતાં આવાં ઉદાહરણોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy