SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ | મારી દ્રષ્ટિએ..... કૂર્ચાલી સરસ્વતીના બિરુદથી વિખ્યાત પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા.ના નામથી વિદ્વત્ જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. સુજેસવેલી ભાસમાં પૂ. કાન્તિવિજયજી મ. સાહેબે જણાવ્યું છે કેપૂજ્યશ્રીને શ્રી વિજયપ્રભસૂરિજીએ વિ. સં. ૧૭૧૮માં વાચકપદથી વિભૂષિત કર્યા હતા. અને વિ. સં. ૧૭૪૩માં તેઓશ્રી દર્શાવતી (ડભોઈ)માં અનશન સ્વીકારવા પૂર્વક કાળધર્મ પામ્યા હતા. પૂજ્યપાદશ્રીએ વીશ-સ્થાનક તપની પણ આરાધના કરી હતી. બ્રાહ્મણોએ કાશીમાં તેઓશ્રીને ન્યાયવિશારદ અને ન્યાયાચાર્ય પદથી અલંકૃત કર્યા હતા. આ પૂજ્ય ઉપા. મ.સાહેબે સંસ્કૃત ભાષામાં જેમ અનેક કૃતિઓનું સર્જન કર્યું છે. તેમ માતૃભાષા ગુર્જરગિરામાં પણ ઘણા સાહિત્યનું સર્જન કર્યું છે. જેમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, સમ્યકત્વ જસ્થાન ચોપાઈ, યોગની આઠ દૃષ્ટિની સજઝાય, સમક્તિ સડસઠ બોલની સજઝાય, મહાવીર પરમાત્માનું દોઢસો ગાથાનું સ્તવન, શ્રી સીમંધર પ્રભુનું સાડા ત્રણસો ગાથાનું સ્તવન વગેરે મુખ્ય છે. થોડામાં ઘણું” કહેવાની તેમની અદ્ભુત શક્તિના કારણે આ ગુર્જર રચનાઓ પણ મધ્યમબુદ્ધિવાળાઓને દુર્બોધ બની છે. આ કારણથી આ કૃતિઓને સારી રીતે સમજાવવા કોઈ વિદ્વાને તેના ઉપર સંસ્કૃત ભાષામાં ટીકા રચેલ છે. તો કોઈક વિદ્વાને ગુજરાતી ભાષામાં વિવેચન કરેલ છે. અને કોઈક વક્તાઓએ “ટબારૂપે વિવેચન લખેલ છે. જેથી આ રચનાઓ સમજવી સુગમ બને છે. આવી જ એક રચના છે. “સવાસો ગાથાનું સ્તવન.” પૂ. ઉપા. મહારાજાએ શ્રી સીમંધરસ્વામિ પરમાત્માને વિનંતિરૂપે આ સ્તવનની રચના કરી છે. અગિયાર ઢાળ બદ્ધ આ સ્તવનમાં પૂજ્યશ્રીએ શ્રી સીમંધરસ્વામિ પરમાત્માને સ્વ-સંવેદનાઓને લક્ષ્યમાં રાખી હૃદયમાં આવિર્ભાવ પામતી વિચારણા-વેદનાઓને શબ્દદેહ આપી વિનંતિરૂપે રજુ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy