SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી ૯૫ ગાથાર્થ= આ બન્ને ગાથાઓમાં ગ્રંથકાર શ્રી જુદા જુદા નયોથી જીવનું કર્તુત્વ સમજાવે છે.- તે સમજતાં પહેલાં વ્યવહારનય અને નિશ્ચયનય તથા તેના ભેદોનું કંઈક સ્વરૂપ સમજી લઈએ. વ્યવહારનય નિશ્ચયનય સદ્ભૂત અસભૂત અશુદ્ધ અશુદ્ધ શુદ્ધ અનુણ્યરિત ઉપચરિત સ્વજાતીય વિજાતીય ઉભયજાતીય આ વિષય સમજવા માટે ઉપર લખેલા શબ્દોના અર્થો પ્રથમ સમજીને પછી તે નયોના અર્થો સમજીએ. ૧. નય= દૃષ્ટિ, વસ્તુનું સ્વરૂપ સમજવાનું લક્ષ્ય, અપેક્ષા, નીતિરીતિ. ૨. વ્યવહારનય= ભેદગ્રાહી દૃષ્ટિ, જે તે દ્રવ્યો અને પર્યાયો જીવથી ભિન્ન છે, તેને જોનારી જે દૃષ્ટિ, અથવા અભિન્ન હોવા છતાં પણ વિવક્ષાના વશથી ભિન્ન રીતે જોનારી જે દૃષ્ટિ તે વ્યવહારનય. ૩. નિશ્ચયનય= અભેદગ્રાહી દષ્ટિ. જે તે દ્રવ્યો અને પર્યાયો જીવથી અભિન્ન છે, તેને અભેદભાવે જોનારી જે દૃષ્ટિ તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy