SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ દોષ આવતો નથી, કારણ કે “અતિવ્યતિપ્રસ” આતમારો કહેલો હેતુ “અમાવઃ વ” અથવા “માવ: ” એવા અમારા એકાન્તવાદવાળા પક્ષમાં ઘટતો નથી. તેથી અસિદ્ધહેત્વાભાસ થાય છે. એમ હેતુ પક્ષમાં ઘટતો ન હોવાથી તમારો જૈનોનો હેતુ અસિદ્ધહેત્વાભાસ થશે. એમ કોઈપૂર્વપક્ષવાદી કહેતો તેના વડે કરાતા “અસિદ્ધ” હેત્વાભાસના પરિવાર માટે મૂળ સૂત્રકારશ્રી ગ્રન્થથી જ =એટલે ગાથાના મૂળપદથી જ જવાબ આપે છે કે ग्रन्थत एव हेतुद्वयासिद्धत्वपरिहारमाह- "तथास्वभावत्वाभावादिति" उभयत्रातिप्रसङ्गो व्यवस्थितः तथास्वभावत्वाभावात् । तथाहि - यदा अभावो भावोभवति तदातथास्वभावत्वस्य-विवक्षितभावभवनस्यभावत्वस्यतत्राभावो निःस्वभावतयैवेति प्रकटम् । यदापि भाव एवाभावो भवति तदापि तथास्वभावत्वस्य स्वाऽभवनस्वभावत्वस्य तत्राभावो निःस्वभावतयैवेति भावनीयम् । इति गाथार्थः । ॥७२॥ - ઉપરોક્ત બન્ને અનુમાનોમાં સૂત્રકારશ્રીએ મૂળગાથામાં કહેલ બન્ને હેતુઓને કોઈ અસિદ્ધ હેત્વાભાસ કરે તો તેનો પરિવાર ગ્રન્થથી જ=મૂળ ગાથાથી સૂત્રકારશ્રી જણાવે છે કે તથાસ્વભાવત્વના અભાવ (હેતુ)થી બન્ને અનુમાનોમાં અતિવ્યાપ્તિ દોષ પ્રગટ પણે વ્યવસ્થિત રહેલો જ છે. પક્ષ સાધ્ય હેતુ उभयत्र अतिव्याप्तिरस्त्येव तथास्वभावत्वाभावात् બને અનુમાનોમાં અતિવ્યાપ્તિદોષ સંભવે જ છે. માટે અસિદ્ધહેત્વાભાસ થતો નથી. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે - (૧) જો અભાવ (અસતુ) હોય તે ભાવાત્મક (સત) બનતું હોય તો (ઘટને ઉત્પન્ન કરતી તે માટીમાં) તથાસ્વભાવત્વનો એટલે કે વિવક્ષિત એવા ઘટભાવ માત્રને જ ઉત્પન્ન કરવાનો તેવા પ્રકારનો ભવનસ્વભાવ જે ત્યાં માટીમાં તમે કહો છો તેનો તે માટીમાં અભાવ થશે. અર્થાત ઘટમાત્રને જ ઉત્પન્ન કરવાનો છે તથાસ્વભાવ છે તેનો અભાવ થશે. કારણ કે માટીમાં જેમ ઘટ અસત્ છે તેમ પટ - મઠ વિગેરે ઈતરકાર્યો પણ અસત્ છે જ. અને જે અસત્ હોય તે સત્ બને. માટે ઘટ જેમ અસત અને તેનું ભવન થાય છે તેમ પટ - મઠ પણ અસતું હોવાથી તેનું પણ ભવન થશે જ. તેથી વિવલિત ભાવ જે ઘટભાવ, તે એક માત્રનો જે ભવનસ્વભાવ TAણાત છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy