SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વાટકો આદિ સામગ્રી રાખી મૌનપૂર્વક લે છે અને સમુચ્છિમ મનુષ્યાદિ ઉત્પન્ન ન થાય તેમ જીવોની રક્ષાની ભાવના હૈયામાં રાખી નિયમિત થાળી ધોઈને પીએ છે. ૧૧.૪૫ થી ૧ જિનશાસન મૌલિક સિદ્ધાંતોને સમજવા માસિકપત્રો વગેરેનું વાંચન, સંગીતની તાલીમ, ઇતર કામકાજ આદિ શાંતિપૂર્વક પોતપોતાની અનુકૂળતા મુજબ આરામ સાથે કરે છે. બપોરે ૧ થી ૨ સામાયિક મંડલકારે-માંડલીપૂર્વક વાંચના, પૃચ્છના પરાવર્તન, અનપેક્ષા અને ધર્મ કથા સ્વરૂપ સ્વાધ્યાયમાં દિનપ્રતિદિન આગળ વધવા સામાયિકના બત્રીસ દોષોને નિવારવા કટીબદ્ધ બની, અપ્રમત્તભાવમાં જવા માટે સામાયિક લઈને જીવનમાં કરેલ ધાર્મિક સૂત્રાદિનો સ્વાધ્યાય યોજનાપૂર્વક કરે છે. “સામાયિકની ચારિત્રાચારની” સ્વાધ્યાયથી તપાચારની યથાશક્તિ પાલન કરે છે અને સામાયિક એટલે સમતા ભાવમાં લીન થવું” એ ભાવના ભાવે છે. બપોરે ૨ થી ૬ “અભ્યાસ” પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થાધિગમસૂત્ર, બૃહદ્ સંગ્રહણી આદિ અર્થ સાથે તથા સંસ્કૃતમાં હૈમ સંસ્કૃત પ્રવેશિકા આદિ ત્રણે બુકો સિદ્ધહેમ વ્યાકરણ, પ્રકૃત વિજ્ઞાન પાઠમાળા ન્યાય, કાવ્યાદિ અધ્યયન કરતાં કર્મ બંધનાં કારણો અને મુક્તિના ઉપાયને શોધે છે. પ્રતિક્રમણના અભ્યાસથી પાપથી પાછા કેવી રીતે હઠવું. નવસ્મરણથી પરમાત્મગુણોનું ચિંતન કેવી રીતે કરવું. ચાર પ્રકરણથી જીવાદિની ઓળખથી અભય દાન તરફની પ્રવૃત્તિ કેવી રીતે કરવી, ત્રણ ભાષ્યથી દેવગુરુધર્મની આરાધના કઈ રીતે શુદ્ધિથી થાય ? છ કર્મગ્રંથાદિથી કર્મો રૂપી શત્રુની જાળમાંથી કઈ રીતે મુકાઈ મોક્ષ સુધી પહોંચવા પ્રયત્ન કરવો. તત્ત્વાર્થાધિગમ આદિથી જગતના સર્વ શાશ્વત અશાશ્વત પદાર્થોનો ખ્યાલ કરી બાર ભાવનાદિને ભાવી આત્મકલ્યાણ કરવું વગેરે સંસ્કૃત પ્રાકૃતાદિના અભ્યાસ દ્વારા કરે છે. ચઉવિહાર : રાત્રિભોજન નરકનું દ્વાર છે માટે તેનાથી બચવા સૂર્યાસ્ત પૂર્વે મૌન પૂર્વક આસન પાટલા વગેરેના ઉપયોગ પૂર્વક સૂર્યાસ્તના સમયને ધ્યાનમાં રાખી યથોચિત સમયે ભોજન લે છે. રાત્રે ૬.૩૦ થી ૮ શ્રાવક ધર્મના નિયમોને ધ્યાનમાં લઈ સવાર, બપોર અને સાંજે દેવદર્શનાદિ ક્રમને સાચવવા. રાત્રે ૮થી ૯-૪૫ ન્યાય નીતિ અને સદાચારમય જીવન જીવવાના ઉપાયરૂપે વ્યાવહારિક શિક્ષણમાં અંગ્રેજી, નામું, સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. રાત્રે ૯.૪૫ થી ૧૦.૩૦ : સવારે પાંચ વાગ્યાથી રાત્રિના ૧૦.૩૦ સુધીના વિવિધ કાર્યક્રમોની નિત્યનોંધનું આલેખન કરી ગૃહપતિની સહી લઈ, ભાવી પ્રગતિ માટે સૂચનાદિને સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ., અમદાવાદ (૧૮૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy