SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ઋતૃત્વ નાચવાનાં સક્ષત્વમશિષ્યતે ! (૩) સ્થિરતામાં કહ્યું કે સૌથી વધુ બાધક તત્ત્વ છેમનની ચંચળતા, સ્થિરતાની રત્નદીપિકાના શાંત પણ પ્રભાવક અજવાળે જીવ પૂર્ણતા જરૂર પામી શકે. કારણ અસ્થિરતામાં તો સાધુવેશ અને અન્ય ધર્મક્રિયાઓ કુલટા નારી સમી અકલ્યાણકારી બનશે. સ્થિરતા પ્રાપ્તયોગી સાધકને તો... સમશીતાતે પ્રારબ્ધ તિવા નિશ (૪) સ્થિરતા પામી નિર્મોહી-અમોહી બનવું જરૂરી છે. નિર્મોહી આત્મા જ જ્ઞાનદ્રષ્ટા બની સંસારનાં તમામ વળગણોથી પર થઈ શકે છે; કેમ કે મહંપતિ પત્રોડયું મોદી નવિધ્યત્ ! “હું” “મારું જ જીવને મારે છે. પણ પૂર્વે નકાર “ ન હું, ન મારું” મંત્ર જીવને તારે છે ! અતિ અલ્પઅક્ષરમાં ઉપાધ્યાયજીએ અમોઘ મંત્ર આપ્યો છે ! આવો આત્મા જ સંસારી હોવા છતાં મોહથી પર બને તે વાત. (૫) જ્ઞાનમાં કરી. સાચે જ જ્ઞાની નિમન્નતિ જ્ઞાને માત્ર રૂર્વ માનસે | મોહરાજ પરાસ્ત થતાં સમ્યગુજ્ઞાન પ્રકટે અને તે જ આત્માના સ્વભાવની દૃષ્ટિ ખોલી આપે, તેથી કહ્યું કે જ્ઞાન તો પીયૂષસમુદ્રોë, રસાયનમનીષF-સમુદ્ર વગર ઉત્પન્ન થયેલું અમૃત, અનૌષધ રસાયણ છે. (૬) શમમાં સમતાની વાત છે. કર્મજન્ય વિષમતાઓથી દૂર રહી જ્ઞાનધ્યાનમાં મગ્ન રહેતા મુનિવરનું શમસામ્રાજ્ય અલૌકિક હોય છે તેથી ગાયું છે કે “ઉપશમ આણો, ઉપશમ આણો, ઉપશમ તપ અહીં આણો રે, વિણ ઉપશમ જિન ધર્મ ન સોહે, જિમ નરવર કાણો રે. (૭) ઇન્દ્રિયજય સૂચવે છે કે સંસારનો ભય હોય અને મોક્ષ ભાવતો હોય તો જિતેન્દ્રિય બનવા પ્રયાસ કર. ઇન્દ્રિયો તો મોહરાજની સેવિકાઓ છે. આત્માના પતન માટે ટાંપીને બેઠી છે. સાચે જ ઇન્દ્રિયોથી અજિત છે. તે જ ધીર. દ્રિ નતોડસૌ ધીરા ધુરિ તે . (૮) ત્યાગાષ્ટકનું રહસ્ય છે-ત્યાગ એ તો આત્મોન્નતિ પામવાનું સાધન છે, આવો ત્યાગી ક્રિયાવાન જ રહે છે. (૯) ક્રિયા : ૯મા અષ્ટકમાં સમજાવ્યું કે દીપ સ્વપ્રકાશી હોવા છતાં પણ તે તેલની અપેક્ષા રાખે, એમ પૂર્ણજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યની અપેક્ષા રાખે જ. કારણ કે સાધક સિદ્ધ ન થાય ત્યાં સુધી એણે ઉચિત ક્રિયા કરવી રહી. (૧૦) તૃપ્તિમાં પરમતૃપ્તિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ અને ગૌરવ બતાવ્યું કે અક્ષરે: સુથ્વી નો જ્ઞાનતૃતો નિરંજન: ૫ (૧૧-૧૨) નિર્લેપતા : નિઃસ્પૃહતા તો સાધકની આત્મસંપત્તિ છે. નિઃસ્પૃહી યોગી ચક્રવર્તીઓનો ય ચક્રવર્તી છે. નિઃસ્પૃહસ્થ તુ ગત્ ! (૧૩) મૌન અષ્ટકમાં મૌનની કેવી સુંદર વ્યાખ્યા કરી છે. ! પુસ્લેિષ પ્રવૃત્તિ તુ યોIનાં મૌનમુત્તમમ્ પુદ્ગલથી આત્માને ન્યારો માનનાર સાધક સાધના-કેડીએ આગળ વધી જ્ઞાની બને. (૧૪-૧૫) વિદ્યા-વિવેક અષ્ટકલયમાં જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન એ વિદ્યા, અને જીવ-અજીવનું ભેદજ્ઞાન એ વિવેક. (૧૬) આ બે અષ્ટકોની આરાધના દ્વારા ભેદજ્ઞાનની પ્રાપ્તિથી રાગદ્વેષ દૂર થતાં માધ્યચ્ય આવે તે મધ્યસ્થતા અષ્ટકની સીમા ! કોઈની નિંદા-ટીકા નહીં, સૌની ભવસ્થિતિ વિચારવી. “અધ્યાત્મસારમાં નિન્યો ન જોડપ નો પાપBધ્વપિ મવસ્થિતિશ્ચન્હા સુંદર રીતે સૂચવ્યું. (૧૭-૧૮) નિર્ભયતા, અનાત્મપ્રશંસા- તો સાધુતાના ઉત્તમ અલંકારો છે. આ બેનો મર્મ જાણનાર તત્ત્વદૃષ્ટિ પામે તેથી (૧૯) તત્ત્વદૃષ્ટિમાં બાહ્ય ઐશ્વર્યોની તુચ્છતા પ્રસ્થાપિત કરી જ્ઞાની સાધકનું ગૌરવ કર્યું કે ન વિય-વિશ્વોપારી દેહ ધારણ કરે. (૨૦) પરિણામે જ સાધક મુનિ તો તમામ રત્નોનો T૮૨ સૌજન્યઃ એક સદ્દગૃહસ્થ, સાબરમતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy