SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૧ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ते मार्टि ए प्रबंध कीजई छइं. तिहां पण द्रव्य गुण पर्याय विचार छइ. तेणइं દ્રવ્યાનુયો નાખવો. આ ચારે અનુયોગો જીવને ધર્મપ્રાપ્તિ દ્વારા મુક્તિહેતુ બને છે.તો પણ દ્રવ્યાનુયોગ જટિલ અને ગૂઢ છે. તથા તેને જાણવો પણ અતિશય આવશ્યક છે. કારણ કે તે જ વિશેષ કરીને સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યાદિનું કારણ બને છે. તે માટે અમે આ પ્રબંધ (ગ્રંથરચના) કરીએ છીએ. આ દ્રવ્યગુણપર્યાય નામના ગ્રંથમાં પણ છે દ્રવ્યોના ગુણોના અને પર્યાયોના વિચારો ભરેલા છે. અંદર ગુંથેલા છે તે કારણે આ ગ્રંથ પણ દ્રવ્યાનુયોગ જ છે. એમ જાણવું. આ પ્રમાણે મંગળાચરણાદિ ચાર અનુબંધચતુષ્ટય સમજાવી આ ગ્રંથ દ્રવ્યાનુયોગના વિષયવાળો છે. એમ કહીને હવે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો તે અતિશય આવશ્યક છે. તેના ઉપર હવે પછીની ગાથાઓમાં તેના અભ્યાસની અનિવાર્યતા અને મહત્તા સમજાવે છે. / ૧ વિના દ્રવ્ય અનુયોગ વિચાર, ચરણ કરણનો નહીં કો સાર ! સમ્મતિ ગ્રંથે ભાષિઉં ઈસ્યું, તે તો બુધ જન મનમાં વસ્યું // ૧-૨ // ગાથાર્થ– દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના ચરણકરણાનુયોગનો કોઈ સાર (ફળ) નથી. એવું સમ્મતિ પ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે. પરંતુ તે વાત તો વિદ્વાન પુરુષોના (તત્ત્વદૃષ્ટિવાળાના) જ હૈયામાં વસે છે. તે ૧-૨ // ટબો- એહનો મહિમા કહઈ છઈ. “દ્રવ્ય-અનુયોગ-વિચાર વિના કેવલ ચરણસિત્તરીકરણસિત્તરીનો સાર કોઈ નહીં.” એહવું સમ્મતિ ગ્રંથનઈ વિષઇ કહિઉં, તે તો બધજનના મનમાંહિ વસિઉં. પણિ બાહ્યદૃષ્ટિના ચિત્તમાં ન વસઈં. યથા चरणकरणप्पहाणा, ससमय-परसमयमुक्कवावारा । વરપારસ સારું, નિજીયશુદ્ધર નાગતિ રૂ. ૬૭ ગાથા સમ્મત ૧-૨ / વિવેચન- નો મહિમા #છ ગ્રંથકાર શ્રી યશોવિજયજી મહારાજશ્રી તાર્કિકશિરોમણિ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીકૃત સમ્મતિપ્રકરણની સાક્ષી આપીને હવે પનો આ દ્રવ્યાનુયોગના અભ્યાસનો મહિમા વદ છ મહિમા કહે છે. કે જે જે આત્માઓ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતા નથી. અને માથાકુટીયો વિષય લાગવાથી તથા કંઈક કઠીનાઈભર્યો અભ્યાસ હોવાથી આવા અભ્યાસથી જેઓ વિમુખ થઈ ગયા છે. જે જીવો દ્રવ્યાનુયોગના અભ્યાસ તરફ ઉપેક્ષા - ઉદાસીનતા સેવે છે. તેઓનાં મહાવ્રતપાલન, સમિતિ ગુપ્તિનું પાલન, તપ સંયમાદિ ક્રિયાનુષ્ઠાનનું પાલન વિગેરે ધર્મકાર્યોના આચરણનું કોઈ ફળ નથી. (સર્વકર્મક્ષય થવા રૂપ મુક્તિફળ ન હોવાથી કંઈ ફળ નથી એમ જાણવું.)
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy