SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ઢાળ-૫ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યાર્થિકનય “અભેદ” માને છે. આમ જે કહેવાય છે. તે તેની મુખ્ય વૃત્તિ છે. અર્થાત્ (અભિધા) શક્તિ છે. પરંતુ કેવળ અભેદ જ માને છે અને ભેદ નથી જ માનતો, એમ નથી. પરંતુ લક્ષણાવૃત્તિથી ભેદને સ્વીકારવામાં પણ પોતાની સમ્મતિ હોય છે. આ જ વાત આ પંક્તિઓમાં ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે કે | મુખ્યવૃત્તિથી એટલે કે (અભિધા) શક્તિથી ઘટ-પટ આદિ શબ્દોનો શબ્દાર્થબોધ (શબ્દ સંબંધી અર્થબોધ) સમજાવતો એવો જે દ્રવ્યાર્થિકનય છે તે નય તે દ્રવ્ય-ગુણ અને પર્યાયોને વિષે અભેદ સમજાવે છે. જેમ કે કોઈ એક પુરુષે બીજા પુરુષને પટનાય પટમીના કહ્યું. ત્યાં ઘટશબ્દ અને પટશબ્દનો અર્થ (શબ્દાર્થ) શું સમજવો ? ત્યારે આ નય મુખ્યવૃત્તિથી એટલે શબ્દમાત્રમાં રહેલી વાચ્ય અર્થને જણાવનારી “અભિધા” શક્તિથી એવો અર્થ જગતને સમજાવે છે કે ઘટ-પટમાં રહેલા રક્ત-પત આદિ ગુણોથી અને કંબુગ્રીવાદિ-લંબચોરસાદિ પર્યાયોથી અભિન એવા માટી દ્રવ્ય અને તંતુ દ્રવ્યને (માટી દ્રવ્યના તદાકારે બનેલા અને તન્ત દ્રવ્યના તદાકારે બનેલા પદાર્થને) તું લાવ. આવો અર્થ કહે છે. એવી અભિધા શક્તિ ઘટ-પટ પદમાં રહેલી છે. સારાંશ કે વાયાં મલ્યા: સાત્તિ આવું વાક્ય સાંભળતાં જ મા પદમાંથી જે “જલપ્રવાહ” અર્થ ખુરાયમાન થાય છે. બીજો કોઈ અર્થ ત્યાં સ્કુરાયમાન થતો નથી. તે આ “અભિધાશક્તિનું” જ કામ છે. અને આ શક્તિ ગંગા પદમાં રહેલી છે. ગંગા પદમાં રહેલી આ અભિધાશક્તિ જ (મુખ્યવૃત્તિ જ) આવો શાબ્દબોધ કરાવે છે. તેવી જ રીતે ઘટ-પટ શબ્દો સાંભળતાંની સાથે સ્વકીય ગુણોથી અને સ્વકીય પર્યાયોથી અભિન્ન એવા માટીદ્રવ્યના બનેલા પદાર્થને અને આદિશબ્દથી તંતુદ્રવ્યના બનેલા પદાર્થને (સ્વવાથ્યને) સમજાવવાનું કામ આ બન્ને શબ્દો જે કરે છે તે, બન્ને શબ્દોમાં રહેલી અભિધાશક્તિનું એટલે કે મુખ્યવૃત્તિનું કામ છે. અર્થાત્ સ્વકીયગુણ-પર્યાયોથી અભિન્ન એવા દ્રવ્યને સમજાવનારી અભિધાશક્તિનો (મુખ્યવૃત્તિનો) આ દ્રવ્યાર્થિક નય ઉપયોગ કરે છે. અભેદને સમજાવનારી અભિધાશક્તિ તે તે પદોમાં રહેલી છે. एहनो परस्पर कहतां माहोमांहे भेद छइ. ते उपचार कहितां लक्षणाई जाणइ, जे माटई द्रव्यभिन्न कंबुग्रीवादिपर्यायनइ विषई ते घटादिपदनी लक्षणा मानइं. मुख्यार्थबाधई, मुख्यार्थसंबंधई तथाविध व्यवहार प्रयोजन अनुसरी तिहां लक्षणाप्रवृत्ति दुर्घट नथी. ॥ ५-२ ॥
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy