________________
ઢાળ-૫ : ગાથા- ૨
૨૦૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કહેવાય છે. અને તેના દ્વારા જગતનું સ્વરૂપ જાણવું જોઈએ. એકાન્તદૃષ્ટિથી સ્વરૂપ જાણવું તે હિતકારક નથી. મેં પપ || મુખ્યવૃત્તિ દ્રવ્યારથો, તાસ અભેદ વખાણઈ રે ! ભેદ પરસ્પર એહનો, તે ઉપચાર! જાણઈ રે !
જ્ઞાનદૃષ્ટિ જગ દેખિઈ ૫-૨ ગાથાર્થ– જે દ્રવ્યાર્થિકાય છે. તે મુખ્યવૃત્તિએ અભેદને જણાવે છે. અને તે નય દ્રવ્ય-ગુણ-પર્યાયનો જે ભેદ છે. તેને ઉપચારથી (ગૌણપણે) જણાવે છે. તે પ-૨ ||
ટબો- કહિયો અર્થ તેહ જ સ્પષ્ટપણઈ જણાવઈ છઈ- મુખ્યવૃત્તિ કહતાં શક્તિ શબ્દાર્થ કહતો, જે દ્રવ્યાર્થનય, તે તાસ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયનઇ અભેદ વખાણઇં. જે માટઇં ગુણપર્યાયાભિન્ન મૃદ્ધવ્યાદિકનઇ વિષયઇ ઘટાદિપદની શક્તિ છઈ. એહનો પરસ્પર કહતાં માંહોમાંહીં ભેદ છઈ. તે ઉપચાર કહિતાં લક્ષણાઈ જાણઈ. જે માટઈં દ્રવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયનઇં વિષાઇ તે ઘટાદિ પદની લક્ષણા માનઈં. મુખ્યાર્થબાધઈ મુખ્યાર્થસંબંધઇ તથાવિધવ્યવહાર પ્રયોજન અનુસરી, તિહાં લક્ષણાપ્રવૃત્તિ દુર્ઘટ નથી. || પ-૨ ||
વિવેચન- દિયો અર્થ તે સ્પષ્ટપકું નવરું જીરું = ઉપરની ગાથામાં કહેલા અર્થને જ વધારે સ્પષ્ટ કરે છે. સંસારમાં રહેલા તમામ પદાર્થો દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક છે. (ગુણ એ પર્યાયસ્વરૂપ છે. વિવક્ષામાત્રથી કથંચિત્ ભિન્ન છે. તેથી અહીં ગુણનો જુદો ઉલ્લેખ આવતો નથી.) પદાર્થોના સ્વરૂપોને જાણનારા આત્માઓની દૃષ્ટિ પ્રયોજનવશથી ક્યારેક દ્રવ્યની પ્રધાનતા વાળી અને ક્યારેક પર્યાયની પ્રધાનતાવાળી હોય છે. તેને જ નયવાદ કહેવાય છે. દ્રવ્યની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ છે. તે દ્રવ્યાર્થિકનય છે. અને પર્યાયની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ છે. તે પર્યાયાર્થિકનય છે દ્રવ્યાર્થિકનયવાળી દૃષ્ટિ વસ્તુને નિત્યપણે વધારે દેખે છે. એટલે પ્રધાનપણે અભેદને જાણે છે. અને ઉપચારે (ગૌણપણે) ભેદને જાણે છે. આ વાત આ ગાળામાં સ્પષ્ટ કરે છે.
मुख्यवृत्ति कहतां शक्ति शब्दार्थ कहतो. जे द्रव्यार्थनय, ते तास कहतां द्रव्यगुण-पर्यायनइं अभेद वखाणइं जे माटई गुणपर्यायाभिन्न मृद्रव्यादिकनइं विषयइं घटादिपदनी शक्ति छइ.