SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૯૧ निषेधबोधको द्वितीयोऽपि भङ्गः, तन्मूलकाश्चान्येऽपि तावत्कोटिकाः पञ्चभङ्गाश्च कल्पनीयाः, इत्थमेव निराकाङ्क्षसकलभङ्गनिर्वाहाद् इति युक्तं पश्यामः । ए विचार स्याद्वादपंडितई सूक्ष्मबुद्धिं चित्तमांहि धरवो ॥ ४-१३ ॥ તે આ પ્રમાણે કોઈ એક વિષય ઉપર પોતપોતાના પ્રત્યેક સ્વરૂપોમાં જ્યાં અનેક નયોના અભિપ્રાયો પ્રમાણે વિવાદ જાગે, ત્યારે તેવા સ્થળે તે વિવાદ ટાળવા “ચાત્કાર” પદથી લાછિત “તાવનાથ” = તેટલા શેષ રહેલા સઘળા નિયોના અર્થના પ્રશ્નારસમૂહાત્નવા પ્રકારવાળા સાતે નયોના અર્થના સમૂહના આલંબનવાળો બોધ કરાવનારો એવો એક જ ભાંગો ઈચ્છવા જેવો છે. જેમ કે “આ કથંચિત્ ઘટ છે” આ વાક્યમાં ઘટના અસ્તિત્વને જણાવનારો એક ભાગો કર્યો, પરંતુ તેની આગળ “કથંચિ” એટલે “સ્યા” શબ્દ હોવાથી ત્યારે શબ્દથી લાછિત હોવાથી માટીનો છે પણ સુવર્ણાદિનો નથી, અમદાવાદનો છે પણ સુરત આદિ અન્ય ક્ષેત્રોનો નથી, વસંતઋતુનો બનાવેલો છે પરંતુ શિશિરાદિ અન્ય ઋતુનો બનાવેલો નથી, રક્તાદિ ભાવવાળો છે પણ શ્યામાદિ ભાવવાળો નથી આમ, સાતે નયોના અર્થ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવાદિની વિવક્ષાએ ઘટનું સંપૂર્ણ સ્વરૂપ, કેટલુંક વિધિરૂપ, અને કેટલુંક નિષેધરૂપ, આમ સર્વ સ્વરૂપ આ એક ભાંગામાં પણ “કથંચિ” શબ્દથી આવી જ જાય છે. અથવા વ્યંજન પર્યાયમાં જેમ બે ભાગમાં વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજાઈ જાય છે. તેમ અહીં એક ભાંગામાં પણ એક નયનું સ્વરૂપ પ્રધાનતાએ, અને શેષ નયોનું સ્વરૂપ “કથંચિ” શબ્દથી ગૌણતાએ આવી જતું હોવાથી એક ભાંગો જ ઈચ્છવા જેવો છે. કારણકે એકભાંગામાં પણ વિવક્ષિત વસ્તુનું એક સ્વરૂપ પ્રધાનતાએ, અને શેષ સ્વરૂપ ગૌણતાએ પણ અવશ્ય સમાયેલું જ છે. એટલે કે વ્યંજનપર્યાયમાં જેમ બે ભાંગાથી વસ્તુનું ક્રમશર પ્રધાન-ગૌણભાવે. સંપૂર્ણ સ્વરૂપ જણાવાય છે. તેમ અહીં થાિર શબ્દથી લાચ્છિત એક ભાંગામાં પણ એક નયનું સ્વરૂપ પ્રધાનતાએ અને શેષ સર્વ નયોનું સ્વરૂપ ગૌણતાએ આમ એક ભાગો પણ વસ્તુના પૂર્ણ સ્વરૂપને અને સર્વનયગમ્ય સ્વરૂપને સમજાવનારો છે. તેથી એક ભાંગાથી પણ ચાલે. છતાં જો “સર્વ સ્થાને સપ્તભંગી જ હોવી જોઈએ” આવો આગ્રહ હોય તો પણ સ્યાવાદીને કશું જ નુકશાન નથી. કારણ કે જેમ એક ભાગો વિવક્ષિત સ્વરૂપની પ્રધાનતા અને શેષ સ્વરૂપની ગૌણતા સૂચક કર્યો છે. કે જેમાં વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમાયેલું છે તેની જેમ 'ચાલનીય ન્યાય દ્વારા ૧. ચાલનીય ન્યાય એટલે કે વસ્તુને ચાલતી વખતે જેમ ચાલનીને એક બાજુથી ઉંચે કરીએ ત્યારે ત્યાંથી દાણા ન પડે પણ બીજી બાજુના નીચેના ભાગથી પડે, અને તે ભાગ ઉંચો કરીએ ત્યારે
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy