SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૪ : ગાથા ૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ પ્રમાણે કોઈ પણ પદાર્થમાં એક અપેક્ષાએ જે સ્વરૂપ હોય છે ત્યાં બીજી અપેક્ષાએ (રૂપાન્તરથી) તેનાથી વિરુદ્ધ દેખાતું સ્વરૂપ પણ હોય જ છે. તો ભેદાભેદને એક સાથે અપેક્ષા ભેદે રહેવામાં વિરોધની વાત કેમ કરાય ? સર્વત્ર ભેદાભેદ, અસ્તિ નાસ્તિ, નિત્યાનિત્ય અપેક્ષાભેદે વ્યાપીને જ રહે છે. માટે ભેદાભેદ જ વ્યાપ્યવૃત્તિ છે. કેવળ એકલો ભેદ વ્યાપ્યવૃત્તિ નથી. તેથી તૈયાયિકની કેવળ એકલા ભેદને જ વ્યાપ્યવૃત્તિ માનવાની વાત યથાર્થ નથી. ॥ ૪૯ ॥ ૧૭૮ પર્યાયારથ ભિન્ન વસ્તુ છઈ, દ્રવ્યારથઈ અભિન્નો રે ક્રમઇ ઉભય નય જો અર્પીજઈ, તો ભિન્ન નઈ અભિન્નો રે || ૪-૧૦ || ગાથાર્થ પર્યાયાર્થિક નયની અર્પણાથી સર્વે વસ્તુ ભિન્ન છે. દ્રવ્યાર્થિક નયની અર્પણાથી સર્વે વસ્તુ અભિન્ન છે. અનુક્રમે બન્ને નયોની અર્પણા કરવાથી સર્વે વસ્તુ કથંચિદ્ ભિન્ન અને કથંચિદ્ અભિન્ન છે. ॥ ૪-૧૦ || ટબો- હવઈ એ સપ્તભંગી ભેદાભેદમાં જોડીઈ છઈ- પર્યાયાર્થ નયથી સર્વ વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય, લક્ષણŪ કથંચિદ્ ભિન્ન જ છઈં ૧. દ્રવ્યાર્થ નયથી કથંચિદ્ અભિન્ન જ છઈં. જે માર્ટિ ગુણ પર્યાય દ્રવ્યના જ આવિર્ભાવ તિરોભાવ છઈં ૨. અનુક્રમઈ જો ૨ નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક અર્પીઈ, તો કથંચિ ભિન્ન કથંચિદ્ અભિન્ન કહિÛ ૩. || ૪-૧૦ || વિવેચન-વરૂ છુ સપ્તમી મેતામેલમાં ખોડીફ છફ- ઉપરની ગાથામાં અસ્તિનાસ્તિની જેવી સપ્તભંગી સમજાવી. તેવી જ રીતે ભિન્ન અને અભિન્નની સપ્તભંગી થાય છે. સ્વદ્રવ્ય-સ્વક્ષેત્રાદિની અર્પણા કરવાથી અસ્તિતા, અને પરદ્રવ્ય-પરક્ષેત્રાદિની અર્પણા કરવાથી નાસ્તિતા જેમ જણાય છે. તેવી જ રીતે પર્યાયાર્થિક નયની અર્પણા કરવાથી ભેદ, અને દ્રવ્યાર્થિક નયની અર્પણા કરવાથી અભેદ પણ છે. તે હવે સમજાવે છે. : पर्यायार्थनयथी सर्व वस्तु द्रव्यगुणपर्याय, लक्षण कथंचिद्भिन्न ज छइ. १. द्रव्यार्थ यथी कथंचिद् अभिन्न ज छइ 'जे माटिं गुण पर्याय द्रव्यना ज आविर्भाव तिरोभाव छइ. २. ૧. પર્યાયાર્થિક નયની જ્યારે અર્પણા (પ્રધાનતા) કરીએ ત્યારે દ્રવ્યથી ગુણ પર્યાયો, અને ગુણ પર્યાયોથી દ્રવ્ય કંઈક ભિન્ન જણાય છે. જેમ કે ગુણ પર્યાયોનો આધાર
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy