SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ઢાળ-૪ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જે માટે = કારણ કે સર્વસ્થાને આ બને ધર્મો (૧) ભેદ અને (૨) અભેદ અવિરોધપણે એટલે કે એક જ આશ્રયમાં (આધારમાં) વૃત્તિપણે (રહેવાપણે) જ દેખાય છે. સર્વસ્થાનોમાં ભેદ અને અભેદ એક સરખા સમાન રીતિએ (તુલ્યપણે) રહેલા પ્રત્યક્ષ જ દેખાય છે. એટલે ધારો કે ઘટ-ઘટાભાવને સાથે રહેવાનો વિરોધ આવતો હોય, તો પણ તે વાતને બાજુએ રાખીને ભેદ અને અભેદને તો સાથે રહેવાનો કંઈ પણ વિરોધ દેખાતો નથી. બલ્ક સર્વત્ર અવિરોધપણે તુલ્ય રીતિએ આ બન્ને ધર્મો વર્તે છે. ગ્રંથકારશ્રી પોતે જ ભેદ-અભેદ કેવી રીતે સાથે રહે છે. તે વાત આગળ આવનારી ગાથાઓમાં સમજાવે જ છે. છતાં અહીં એક દૃષ્ટાન્ન આપીને કંઈક સમજાવાય છે. પુરુષ અને સ્ત્રીમાં પુરુષત્વ અને સ્ત્રીત્વ ધર્મની અપેક્ષાએ ભેદ છે. તેજ પુરુષ અને સ્ત્રીમાં “મનુષ્યત્વ” ધર્મની અપેક્ષાએ અભેદ છે. કંકણ અને કેયુરમાં અલંકાર વિશેષની અપેક્ષાએ ભેદ છે. ત્યાં જ સુવર્ણપણાની અપેક્ષાએ અભેદ છે. રૂપ-રસ-ગંધ-અને સ્પર્શમાં ઈન્દ્રિયગ્રાહ્યતાની અપેક્ષાએ ભેદ છે. ત્યાં જ “ગુણપણા”ની દૃષ્ટિએ અભેદ છે. આમ હોવા છતાં “મારૂં જ સાચુ” આવો આગ્રહ ન હોય અથવા આગ્રહને ઢીલો મુકવામાં આવે તો જ આ સંપૂર્ણસત્ય સમજાય તેમ છે. અન્યથા ઉપરોક્ત વાત સત્ય હોવા છતાં તેના પ્રત્યે આ જીવ નારાજગી જ વ્યક્ત કરતો હોય છે. - "अभेद स्वाभाविक साचो, भेद औपाधिक जूठो' इम कोइ कहइ छइ. ते अनुभवता नथी. व्यवहारइं-परापेक्षा-बेहुनइं "गुणादिकनो भेद, गुणादिकनो अभेद" ए વનથી ૪-૨ | કોઈ કોઈ દર્શનકારો એમ કહે છે કે “અભેદ સાચો છે. કારણ કે તે સ્વાભાવિક છે. અને ભેદ જૂઠો છે (મિથ્યા છે, કારણકે તે પાધિક છે” આમ કહે છે. તેઓનું માનવું એવું છે કે માટી અને ઘટનો અભેદ સંબંધ સ્વાભાવિક છે. સ્વયં સિદ્ધ છે. કારણ કે ઘટકાલમાં તથા તેની આગળ-પાછલા કાળમાં પણ માટી તો છે જ. એટલે માટી પોતે જ ઘટરૂપે બની છે. સુવર્ણ દ્રવ્ય પોતે જ સ્વયં કંકણ-કેયુર રૂપે બન્યુ છે. માટે અભેદ સાચો છે. પરંતુ પાણી ભરેલા ઘટમાંથી જેમ જલ નીકળે અને ઘટ જુદો રહે તેમ માટીમાંથી ઘટ નીકળતો હોય અને માટી જુદી રહેતી હોય, સુવર્ણમાંથી કંકણ-કેયુર નીકળતાં હોય અને સુવર્ણ જુદુ રહેતું હોય એવું બનતું નથી. માટે ભેદ સાચો નથી.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy