SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૩૬) મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવન (૩૭) વિહરમાન જિન વીશીનું સ્તવન (૩૮) શ્રી સીમંધર સ્વામિનું ચૈત્યવંદન (૩૯) શ્રી સીમંધર સ્વામીનું ૧૨૫ ગાથાનું સ્તવન = જેને હુંડીનું સ્તવન કહેવાય છે. (૪૦) શ્રી વીરપરમાત્માનું ૧૫૦ ગાથાનું સ્તવન = જેમાં પ્રતિમાની પૂજાદિ સિદ્ધ કરેલ છે. (૪૧) શ્રી સીમંધર સ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન = જેમાં સાધુજીવન અને શ્રાવક જીવનને અંગે ઉપયોગી ભાવો સમજાવ્યા છે. (૪૨) અઢાર પાપસ્થાનકની સઝાય (૫૩) પ્રતિમા સ્થાપનની સઝાય (૪૩) અગિયાર અંગની સઝાય (૫૪) યતિધર્મ બત્રીશીની સજઝાય (૪૪) અગિયાર ઉપાંગની સઝાય (૫૫) સ્થાપના કલ્પની સઝાય (૪૫) આઠદષ્ટિની સઝાય (૫૬) સમકિતના ૬૭ બોલની સઝાય (૪૬) અમૃતવેલની સઝાય (૫૭) જ્ઞાનક્રિયાની સઝાય (૪૭) આત્મ પ્રબોધની સઝાય (૫૮) પાંચ કુગુરુની સઝાય (૪૮) ઉપશમશ્રેણીની સઝાય (૪૯) ચડતા-પડતાની સઝાય (૫૯) સુગુરુની સજઝાય (૫૦) ચાર પ્રકારના આહારની સઝાય (૬૦) સંયમશ્રેણીની સઝાય (૫૧) પાંચ મહાવ્રતોની સઝાય (૬૧) હરિયાળીની સઝાય (પ) પ્રતિક્રમણગર્ભહેતુની સઝાય (૬૨) હિતશિક્ષાની સઝાય પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીકૃત ગુજરાતી સ્તવનો, સક્ઝાયો તથા બીજા કેટલાક દુહાઓ વગેરે ગુજરાતી તમામ સાહિત્ય મૂળમાત્ર, “ગુર્જર સાહિત્યસંગ્રહ’ જિનશાસન રક્ષા સમિતિ, લાલબાગ મુંબઈ તરફથી પ્રકાશિત થયેલ ભાગ ૧-૨માં છપાયેલ છે. ત્યાંથી જોઈ લેવા વિનંતી છે. આ પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં મૌલિકગ્રંથો, ટીકાગ્રંથો, અને અનુપલભ્ય ગ્રંથો કુલ ૮૧ તથા ગુજરાતી ભાષામાં કાવ્યમય ગ્રંથો-સ્તવનો અને સઝાયો વગેરે મળીને ૬૨ આમ કુલ ૧૪૩ શાસ્ત્રોનાં નામો “ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ ૧-૨'ના આધારે તથા યશોદોહન આદિ પુસ્તકોના આધારે મળી શક્યાં છે. પરંતુ ભક્તિરસિક, પરોપકારપરાયણ, શાસન સમર્પિત અને શ્રુતગંગામાં લયલીન બનેલા એવા ઉપાધ્યાયજી મ.શ્રીએ બીજાં પણ કેટલુંય સાહિત્ય સજર્યું હશે કે જેનાં નામો અને તે તે ગ્રંથો નષ્ટ થઈ ગયા હોવાથી આપણને અત્યારે મળી શકતા ન હોય આવું પણ બન્યું હોય. કારણ કે ઉપલભ્ય ગ્રંથો જોતાં તેઓશ્રી નીડરવક્તા, પ્રખર પંડિત અને સત્યમાર્ગ પ્રરૂપક હતા. તેથી શિથિલાચારીઓએ અને વિરોધીઓએ તેમના સાહિત્યનો ઘણો ઘણો નાશ કર્યો પણ હશે. એટલું જ નહીં પરંતુ ઉપાધ્યાયજી મ.શ્રીને ઘણી ઘણી મુશ્કેલીઓ પણ ઉભી કરી હોય. આમ
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy