SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ગ્રંથકારશ્રી કૃત ટીકાગ્રંથો : ----------- (૪૫) અષ્ટ સહસ્ત્રી તાત્પર્ય વિવરણ = આ મૂલગ્રંથ દિગંબરાચાર્ય શ્રી સમતભદ્રજીનો છે. આત મીમાંસા તેનું નામ છે. તેના ઉપર ભાષ્ય લખનાર અકલંકાચાર્ય છે. તેના ઉપર દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદજી કૃત “અષ્ટસહસી” ટીકા છે. તે ટીકાની ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ વિવરણ કર્યું છે. આ વિવરણનું સંપાદન પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ના વિદ્વાન શિષ્ય મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજીએ કરેલ છે. જે ગ્રંથનું હમણાં જ કા. સુદ ૧૧નું વિમોચન થયેલ છે. (૪૬) કર્મપ્રકૃતિની બૃહ ટીકા = મૂલગ્રંથકર્તા શ્રી શિવશર્મસૂરીશ્વરજી છે. પ્રાકૃત ભાષામાં પદ્યગ્રંથ છે. તેના ઉપર આ. શ્રી મલયગિરિજી મ. શ્રીની ટીકા છે. તે સરળ છે. તથા આ કર્મપ્રકૃતિ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ ગદ્ય અને ન્યાયની પરિભાષાથી યુક્ત કંઈક કઠીન ટીકા બનાવી છે. (૪૭) કર્મપ્રકૃતિની લઘુટીકા = જે આત્માનંદ જૈન સભા તરફથી છપાઈ છે. (૪૮) તત્ત્વાર્થવૃત્તિ = મૂલગ્રંથ પૂજ્ય ઉમાસ્વાતિજીનો ૩૫૦ થી ૪૦૦ સૂત્ર પ્રમાણ સંસ્કૃત છે. તેના ઉપર પૂ. શ્રી હરિભદ્રસૂરિજી તથા પૂ. શ્રી સિદ્ધસેનગણિજીની ટીકા છે. તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ પણ ટીકા બનાવી છે. પરંતુ ફક્ત પહેલા અધ્યાયની જ ટીકા મળે છે. (૪૯) દ્વાદશાર નયચક્રોદ્ધાર વિવરણ = પૂજ્ય મલ્લવાદીસૂરિજી કૃત શ્રી દ્વાદશાર નયચક્ર ગ્રંથ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ વિવરણ (વિવેચન) સંસ્કૃત ભાષામાં ગદ્યરૂપે લખેલ છે. (૫૦) ધર્મસંગ્રહ ટીપ્પણ = મૂલગ્રંથકર્તા પૂજ્ય ઉ. શ્રી માનવિજયજી મ.શ્રી, તેના ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ ટીપ્પણ લખી છે. જે ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે. (૫૧) પાતંજલ યોગસૂત્રવૃત્તિ = પતંજલિ ઋષિના બનાવેલા યોગસૂત્ર' ઉપર ગ્રંથકારશ્રીએ ટીકા લખી છે. જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે. (પ) યોગવિંશિકા પ્રકરણ=પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીની બનાવેલી વિંશતિવિંશિકામાં આવેલી યોગવિંશિકા” ઉપર સંસ્કૃત ટીકા લખી છે જેનું ગુજરાતીમાં વિવેચન અમે પણ પ્રકાશિત કર્યું છે. (૫૩) શાસ્ત્રવાર્તા સમુચ્ચયવૃત્તિ = મૂલગ્રંથ પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.શ્રીનો છે. સંસ્કૃતભાષામાં પદ્યરચના છે. તેના ૮ સ્તબક છે. તેના ઉપર ગ્રંથકારશ્રીએ ૧૩000 શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા બનાવી છે. તેનું નામ “સ્યાદ્વાદ કલ્પલતા” છે. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy