SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ઢાળ-૧ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । વિક્ષનો થયો, રૂછાયોહિતિ:(લલિતવિસ્તરાદી)શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય રૂ II ઇમ ઇચ્છાયોગઇ રહી અખ્ત પર ઉપકારનઈ અર્થિ દ્રવ્યાનુયોગ વિચાર કહું છું. પëિ એતલઇ જ સંતુષ્ટિ ન કરવી. “વિશેષાર્થઇ ગુરુસેવા ન મૂકવી” ઈમ હિતશિક્ષા કહઈ છઈ- || ૧-૮ || વિવેચન- ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત એમ બે જ પ્રકારના આત્માઓ આરાધક કહેવાય છે. આ સ્વરૂપ જાણતાં એટલું ચોકસ સમજાય છે કે દ્રવ્યાનુયોગ સંબંધી સૂક્ષ્મજ્ઞાનનું અવશ્ય અવગાહન કરવું જોઈએ. આ જ્ઞાન વિના દેહાધ્યાસ છુટતો નથી. શરીર અને આત્મદ્રવ્યને આ જીવ ભિન્નપણે યથાર્થતયા ઓળખતો નથી. મોહદશા મોળી પડતી નથી. ભેદજ્ઞાન થતું નથી. વૈરાગ્યદશા વૃદ્ધિ પામતી નથી, આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાનો લક્ષ્ય જામતો નથી. વિવેકબુદ્ધિ વિકસતી નથી. અહંભાવ ઓગળતો નથી. તે માટે દ્રવ્યાનુયોગના અભ્યાસ માટે આ જીવે નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ યોગનો એક અંશ પણ જો જીવનમાં પ્રાપ્ત થઈ જાય તો આ ચિત્ત (મન) અવશ્ય સાંસારિક ભાવોમાંથી ઉભગી જાય. સંવેગનિર્વેદ થયા વિના રહે જ નહીં. સંવેગ-નિર્વેદની પ્રાપ્તિ થાય. આ જ મનુષ્ય જીવનની કૃતકૃત્યતા=ધન્યતા (સફળતા) છે. આ જ હકીકત ગ્રંથકારશ્રી જણાવે છે– ए द्रव्यानुयोगनी लेशथी प्राप्ति पोताना आत्मानइं कृतकृत्यता कहइ छइंमा દ્રવ્યાનુયોગની જો લેશથી (અંશમાત્રથી) પણ પ્રાપ્તિ થાય તો પોતાના આત્માની કૃતકૃત્યતા (સફળતા-ધન્યતા) સમજવી. આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ મોહદશા રૂપી સર્પના વિષને ઉતારવામાં ગાડિક મંત્ર સમાન છે. અંશમાત્ર પણ જો દ્રવ્યાનુયોગના ગ્રંથો ભણીએ તો અવશ્ય મોહદશા ઢીલી પડે જ છે. આવો દ્રવ્યાનુયોગનો પ્રભાવ છે. તે વાર િદ્રવ્યાનુયોની વત્તાનપું હેત ગુરુવરનડું નથી થા, રી મતિજ્યના પરિરી તે કારણે દ્રવ્યાનુયોગની આટલી બલવત્તરતા છે. તે હેતુએ કરીને મારા વડીલ ગુરુઓ (શ્રી પૂ. જિતવિજયજી મ. તથા પૂ. નિયવિજયજી મ. સાહેબ આદિ ગુરુઓ)ના ચરણકમળને આધીન થયો થકો, તેઓએ મને જે રીતે દ્રવ્યાનુયોગ ભણાવ્યો છે. અને ગુરુગમથી પૂર્વાચાર્યોની પરંપરાથી જે રીતે મને આ દ્રવ્યાનુયોગ પ્રાપ્ત થયો છે. તે રીતે, આ કારણે સ્વતંત્ર પ્રતિકલ્પના પણે કહેવાની પદ્ધતિને ત્યજી દઈને, સમય સમય પર થોડું-દ્રવ્યાનુયોરા, નીન-માવત થવ=પ્રતિસમયે આ દ્રવ્યાનુયોગમાં લયલીન-એકાગ્ર થયો થકો, ને યિાવ્યવહાર સાથું છું. દિનેહનડું મોટો થર છછું જે સાધુસમાચારીનો ક્રિયા વ્યવહાર પંચમહાવ્રત-પંચાચારાદિનું પાલન કરવાનો વ્યવહાર છે. તેને હું સાધુ છું. અર્થાત્ દ્રવ્યાનુયોગમાં લીન બન્યો છતો હું યથાશક્તિ ચરણકરણાનુયોગ સાધું છું. આ જ (રીતે બન્ને યોગોનો સમન્વય કરીને સાધના
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy