SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૬ દ્વિતીય પદ્ધ દોડું અને તે દ્રવ્ય ગુણપર્યાયની અભેદપ્રધાન ચિંતવણા દ્વારા શુક્લધ્યાનનો બીજો પાયો (ભેદ) આવે છે. તેથી જ્ઞાનમાર્ગ એ પ્રધાનમાર્ગ છે. तथा शुद्ध द्रव्यगुणपर्यायनी भावनाइं "सिद्धसमापत्ति" होइ ते तो शुक्लध्यानપત્ત દોરૂ. પ્રવચનસારેણુવત્ત-શુદ્ધ દ્રવ્ય ગુણ અને પર્યાયની ભાવના ભાવતાં ભાવતાં આ આત્મા સિદ્ધસમાપત્તિ દશાને પ્રાપ્ત કરે છે. તે સિદ્ધસમાપત્તિ દશા પ્રાપ્ત કરવી તે તો આ શુક્લધ્યાનનું ફળ છે. આ બાબત કંઈક સૂક્ષ્મતાથી જોઈએ. મંદ કષાયોના ઉદયવાળું સરાગસંયમ (રાગવાળું હોવાથી) વિશિષ્ટ પ્રકારના દેવભવની પ્રાપ્તિનું કારણ બને છે. દૈવિક સુખ એ પણ પૌદ્ગલિક હોવાથી એક પ્રકારનું બંધન જ છે. અને શુદ્ધ આત્મસ્વરૂપના આનંદનું બાધક પણ બને છે જ્યારે જે જ્ઞાનરમણતા છે, તે અતીન્દ્રિય આનંદ આપનાર છે. સ્વાધીન સુખ છે. નિત્ય, અનુપમ, નિર્બાબાધ, સંપૂર્ણ અને અનંતકાળ રહેનાર છે. તેથી જ્ઞાનસુખ એ પરમાનંદ સ્વરૂપ છે. ચેતના એ આત્માનો મૂલ ગુણ છે. આ ચેતના જ્યારે મોહના ઉદયથી મિશ્ર (ભળેલી) હોય છે. ત્યારે તે ચેતના અનુપમ જ્ઞાન સુખ અને પરમાનંદની પ્રાપ્તિમાં બાધક બને છે. અને જીવને પુદ્ગલાનંદ તરફ ખેંચી જાય છે. પુદ્ગલના વિષયો, તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિના સંકલ્પ વિકલ્પો અને તેના દ્વારા હર્ષ-શોકના ભાવોમાં જીવને ડુબાડી દે છે. આવી ઉલટી બુદ્ધિ કરવામાં, ચેતનામાં ભળેલો “મોહનો ઉદય” પ્રધાનકારણ છે. આત્માની આ પરાભિમુખતા છે. તેને ટાળવાનો પ્રયત્ન કરવો એ જ મોહનીયકર્મનો ક્ષયોપશમ અને ક્ષય કહેવાય છે. અનાદિકાળથી પરપદાર્થોના સંયોગ વિયોગમાં રાચતા અને રમતા આ આત્માની ચેતનાને અરિહંત પરમાત્માના નિરાવરણ શુદ્ધદ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતન તરફ વાળવા દ્વારા પરમાત્માના સ્વરૂપના ચિંતનમાં લયલીન કરવી એ જ એક ઉપાય ચેતનાને શુદ્ધ કરવાનો છે. આવા પ્રકારના ચિંતનમાં વર્તતાં વર્તતાં કાળક્રમે સ્થિર થતો આ આત્મા વારંવાર આવા ચિંતનના અભ્યાસથી પોતાના આત્માનું પણ પરમાત્મપણું (પરમાત્મા સમાન સ્વરૂપવાળા પણું) સમજે છે. અને બાહ્યભાવમાં ભટકતી ચેતનાને અંતર્મુખવૃત્તિવાળી બનાવી દે છે. આ દશાને અંતરાત્મદશા કહેવાય છે. અંતર્મુખવૃત્તિની પ્રબળતા થતાં આ જીવની ચેતનામાં ભળેલી મોહની દશા ક્ષીણ થવા લાગે છે. અને કાળાન્તરે આત્માની આ ચેતના મોહરહિત બને છે. ચેતનાને શુદ્ધ બનાવવાનો આ જ પરમ ઉપાય છે. અરિહંત પરમાત્માના દ્રવ્ય ગુણ પર્યાયની સાથે પોતાના આત્માનો અભેદ વિચારતાં, પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના લાગતાં, પરદ્રવ્ય પ્રત્યેના ભાવો તુટી જતાં, નિર્વિકલ્પદશા પ્રાપ્ત કરીને આ આત્મા ભાવથી “સિદ્ધની સમાન અવસ્થાને પામે છે. આને જ સિદ્ધસમાપત્તિ કહેવાય છે. સિદ્ધ પરમાત્માની સમાન
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy