SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવર્ણવાળી; ' (૪) કમલે સ્થિતા =કમલ ઉપર બેઠેલી. આ પ્રકારના ચાર વિશેષણોવાળી ભાગ્યશાળી સરસ્વતીદેવી અમને સિદ્ધિપદ આપો. પ્રશ્ન: સરસ્વતી દેવી પોતે સંસારી હોવાથી સિદ્ધિપદ પામ્યાં નથી. તો પછી તેમની પાસે સિદ્ધિપદ માગવાની જરૂર શી? શું તે દેવી સિદ્ધિપદ આપવાનાં છે? ઉત્તર : સરસ્વતી દેવી પોતે સિદ્ધિપદ પામ્યાં નથી અને આપી શકે તેમ પણ નથી. આત્મા પોતે જ સંસારનો મોહ છોડી વૈરાગી બને તો જ આગળ જતાં વીતરાગ-સર્વજ્ઞ બનવાથી સિદ્ધિપદ પામે છે. પરંતુ સંસારનો મોહ ઓછો કરવામાં અને વૈરાગ્યની વૃદ્ધિ કરવામાં જ્ઞાનની જરૂર રહે છે. અને આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સરસ્વતી દેવી સહાયકમદદગાર-નિમિત્ત છે. એટલે જે સરસ્વતી દેવીની કૃપાથી શ્રુતજ્ઞાન મળે. તે જ દેવી શ્રુતજ્ઞાન આપવા દ્વારા વૈરાગ્ય-વીતરાગતા ને સર્વજ્ઞતા તથા સિદ્ધિપદનું પણ કારણ બને છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સરસ્વતી દેવીને પણ સિદ્ધિપદને આપનારી કહી શકાય છે. શ્રી ભુવનદેવતાની સ્તુતિ - ૪૩ ભુવણ-દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. જ્ઞાનાદિ-ગણ-ચતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંચમ-રતાનામ T વિદધાતુ ભુવન-દેવી, શિવ સદા સર્વસાધૂનામ ૧ || ધર્મપ્રેમી મહાત્મા પુરુષો જે મકાનમાં વસવાટ કરીને ધર્મારાધન કરે છે તે મકાનના (ભવનના) અધિષ્ઠાયક દેવની આરાધના માટે હું કાઉસ્સગ્ન કરું છું. - જ્ઞાન-દર્શન અને ચારિત્ર વગેરે ગુણોથી યુક્ત, હંમેશાં સ્વાધ્યાય તથા સંયમમાં જ રક્ત એવા સર્વ સાધુભગવન્તોને ભવનની અધિષ્ઠાયક દેવી હંમેશાં કલ્યાણ કરનારી હોજો. ૧ / જેમ કોઈ પણ વિશિષ્ટ કાર્ય કરવામાં ન્દ્ર સરકાર, પ્રાન્તીય ૧ કૃપાથી = દયા છે . આ t Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy