SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સારી ચાલે છે ને? આપનું શરીર અને મન બાધેન્દ્રિયોથી પીડા તો નથી પામતું ને ? હે ક્ષમાશ્રમણ ! દિવસ સંબંધી મારાથી થયેલા અપરાધો હું ખમાવું છું. અવશ્ય કરવા લાયક કાર્યોમાં જે દોષો લગાડ્યા હોય તેને પણ હું ખાવું છું. આપ જેવા ક્ષમાશ્રમણમુનિઓની દિવસ સંબંધી તેત્રીસ આશાતનાઓમાંથી જે કોઈ આશાતના દ્વારા દોષ લગાડ્યો હોય, તથા વળી મિથ્યાત્વના કારણે જે કોઈ દોષ લગાડ્યો હોય, વળી મનથી પાપ કર્યું હોય, વચનથી પાપ કર્યું હોય, કાયાથી પાપ કર્યું હોય, ક્રોધ-માનમાયા અને લોભથી જે કંઈ પાપ કર્યું હોય, ત્રણે કાળ સંબંધી જે પાપકર્મ કર્યું હોય, મિથ્યાત્વ દોષના જોરે જે પાપકર્મ કર્યું હોય, ધર્મનું સર્વથા ઉલ્લંઘન કરવા વડે જે પાપકર્મ કર્યું હોય, આ પ્રમાણે કોઈ પણ જાતની આશાતના કરવા દ્વારા મારા જીવે જે કોઈ અતિચાર લગાડ્યો હોય તે અતિચારનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું, નિન્દા કરું છું. ગુરુજી સમક્ષ વિશેષ નિન્દા કરું છું. અને આવાં પાપોથી મારા આત્માને વોસિરાવું આ સૂત્ર જ્યારે સવારના “રાઈઅ” પ્રતિક્રમણમાં બોલાતું હોય ત્યારે દિવસો વઈઝંતો, દેવસિએ વઈક્કમ, અને દેવસિઆએ આ ત્રણે પદોને બદલે અનુક્રમે રાઈવઈઝંતા રાઈએ વઈક્કમે અને રાઈએ એવાં પદો બોલવાં, તેવી જ રીતે પખી પ્રતિક્રમણ વખતે “પફખો વઈkતો, પખિએ વઈક્કમૅ પખિઆએ એમ બોલવું ચોમાસી પ્રતિક્રમણ વખતે ચોમાસી વઈkતા, અને ચોમાસિએ વઈક્કમ્મ, ચોમાસિઆએ એમ બોલવું તથા વાર્ષિક સંવચ્છરી પ્રતિક્રમણ વખતે “સંવછરો વઈર્ષાતો, સંવચ્છરિએ વાઈક્રમ્મ, અને સંવચ્છરિઆએ એ પ્રમાણે પદો બોલવાં. - શ્રી દેવસિઅં આલોઉં સૂત્ર - ૩૦ ઇચ્છાકારેણ સંદસિહ ભગવદ્ ! દેવસિ આલોઉં! ઇચ્છ, આલોએમિ જે મે દેવાસિઓ. છે ? : : : : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy