SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનકળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર I શ્રી જિનને નવરાવતાં, કર્મ હોય (થાય) ચકચૂર ॥ ૨ ॥ આ જળપૂજા આત્મામાં અનાદિકાળથી રહેલાં કર્મરૂપી મેલ દૂર કરવા માટે છે. ભગવાનને જળનો અભિષેક-પ્રક્ષાલ કરતાં કરતાં જલથી જેમ શરીરનો મેલ દૂર થાય છે તેમ જિનેશ્વરપ્રભુની જળપૂજા કરવાથી મારા આત્માનો કર્મમેલ દૂર થાઓ'' એવી ભાવના રાખવાની છે. જ્ઞાનરૂપી કળશાઓ સમતાભાવ રૂપી પાણીથી ભરપૂર ભરીને શ્રીજિનેશ્વર પ્રભુને એવા નવરાવો કે જેથી આપણાં કર્મો ચકચૂર (વિનાશ) થાય. (૨) ચંદનપૂજા કરતી વખતે બોલવાના દુહા : શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ । આત્મશીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ ॥ ૧ ॥ ચંદનપૂજા કરતી વખતે નીચે મુજબ ભાવના ભાવવાની છે કે જેમ ચંદનમાં શીતળતા ગુણ છે પ્રભુના મુખ ઉપર પણ શીતળતાની છાયા છે તેમ મારા આત્મામાં રહેલા કષાયો રૂપી અગ્નિ-તાપ દૂર થાઓ અને ક્ષમાદિ ગુણોની શીતળતા વ્યાપો. આ ચંદનપૂજા પ્રભુના નવ અંગે કરવાની હોય છે. તેમાંના એકેક અંગે પૂજા કરતાં કરતાં નીચેના દુહા બોલવાપૂર્વક નીચે જણાવ્યા મુજબ ભાવના ભાવવાની હોય છે. અંગૂઠ ઢીંચણે કાંડ ૧ સંપુટ = 66 “ જળ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂરુંત । ઋષભ ચરણ અંગુઠડે, દાયકર ભવજળ અંત ॥ ૧॥ જાનુ બળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ। ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાનુ નરેશ ॥ ૨ ॥ લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન । કરકાંઠે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુ માન ॥ ૩ ॥ 66 બે હાથ જોડવા તે. ૨ દાયક= આપનાર. Jain Education International For Private & Personal Use Only ૩ જાનુ = ઢીંચણ. www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy