SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ગુરુજનપૂજા = “આપણા ઉપર જેનો જેનો ઉપકાર છે. એવા વડીલો તે માતા-પિતા-ધર્મગુરુ-વિદ્યાગુરુ ઈત્યાદિ ગુરુજન કહેવાય છે. તેઓની પૂજા સત્કાર-સન્માન કરવાની ભાવના, તેઓ પ્રત્યે અહોભાવ તે ગુરુજનપૂજા (૬) પરથકરણમ્ = “પરોપકારકરવા પણું.” આ મનુષ્યભવ, જૈનત્વ અને ઉચ્ચ પ્રકારનું સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને જેટલું વધારે બની શકે તેટલું બીજાનું ભલુ કરવું. પરોપકાર કરવો. તે પરFકરણમ્. (૭) શુભગુરુનો યોગ= “સાચો ધર્મ પ્રાપ્ત કરાવે એવો સદાચારી. અત્યન્ત પવિત્ર એવા ધર્મગુરુનો સંયોગ મળવો તે શુભગુરુનો યોગ. (૮) તદ્વચન સેવના= “તેવા ઉત્તમ ગુરુજીનાં વચનોનું સેવન કરવાપણું.” આવા ઉત્તમ ધર્મગુરુજી જે સમજાવે, તે વચનોનો આદરમાન કરવો તે તર્વચનસેવના. | (૯) આભવમખંડા = જ્યાં સુધી હું આ સંસારમાં હોઉં ત્યાં સુધી ભવોભવમાં મને અખંડપણે ઉપરોક્ત વસ્તુઓની અખંડપણે પ્રાપ્તિ થજો તે. - આ પ્રમાણે ઉત્તરોત્તર ધર્મની પ્રાપ્તિ થાય એવી વસ્તુઓની જે માગણી થાય તે નિયાણું કહેવાય નહિ. માટે જો કે જૈનશાસ્ત્રોમાં નિયાણું કરવાનું વાર્યું છે. તો પણ આ નવ વસ્તુઓ મને ભવોભવમાં પ્રાપ્ત થજો. તથા (૧) દુઃખનો ક્ષય, (૨) કર્મોનો ક્ષય, (૩) સમાધિ મરણ અને (૪) બોધિબીજની પ્રાપ્તિ. આ ચાર વસ્તુઓ પણ મને પ્રાપ્ત થજો. આ ચારે પણ ધર્મની સાધનામાં શ્રેષ્ઠ કારણો છે. માટે તેની માગણી કરવામાં આવી છે. આ જૈનધર્મ સર્વમંગલોમાં મંગલભૂત છે. કારણ કે શ્રીફળ૧ સમાધિમરણ સમતાભાવપૂર્વકનું જે મરણ તે. ૨ બોધિબીજની પ્રાપ્તિ= શુદ્ધ નિર્મળ સમ્યકત્વગુણની પ્રાપ્તિ કિરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy