SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૭-૧૯૮ ૫૩૪ હોય છે. તેને ક્ષણમાત્ર સ્થાયી માની દ્વિતીયક્ષણે અસત્ માનવાથી શ્લોક ૧૯૫-૧૯૬માં જે જે દોષો જણાવ્યા છે તે બધા દોષો નક્કી આવે જ છે. એમ સિદ્ધ થશે. ‘‘મોઽસત્ત્વ''=પાઠવાળા ૧૯૫-૧૯૬ શ્લોકમાં કહેલા દોષો બરાબર આવે જ છે. તેથી સત્ ને અસત્ માનવામાં સત્-અસદુત્પાદ, તદ્વિનાશ, પુનર્ભાવ ઇત્યાદિ દોષો અમે જે બૌદ્ધને આપ્યા હતા તે બધા બરાબર વ્યવસ્થિત થયા અર્થાત્ સિદ્ધ થયા ઉપરોક્ત ચર્ચા પ્રમાણે વસ્તુને ક્ષણસ્થિતિધર્મા માનવાથી અનેકદોષો આવે જ છે. તેથી બૌદ્ધદર્શનની માન્યતા યુક્તિસંગત નથી. આ પ્રમાણે અનિત્યેકાન્તપક્ષનું ખંડન કરીને હવે નિત્યેકાન્તપક્ષનું ખંડન સમજાવે છે. ॥ ૧૯૭|| नित्यपक्षमधिकृत्याह હવે નિત્યપક્ષને આશ્રયીને (તેનું નિરસન) સમજાવે છે भवभावानिवृत्तावप्ययुक्ता मुक्तकल्पना । एकान्तैकस्वभावस्य, न ह्यवस्थाद्वयं क्वचित् ॥ १९८ ॥ ગાથાર્થ ભવભાવની અનિવૃત્તિ માન્ચે છતે પણ મુક્તિની કલ્પના અયુક્ત છે કારણ કે એકાન્તે એક સ્વભાવવાળાની બે અવસ્થા કયાંય સંભવતી નથી. ૧૯૮૫ ટીકા-‘“મવમાવાનિવૃત્તાપિ પાન્તનિત્યતાયામ્। િિમત્લાદ-‘અયુવતા मुक्तकल्पना" आत्मनः । થમયુવતેત્સાહ-‘જાનૈવમાવસ્ય” પ્રત્યુતાનુत्पन्नस्थिरैकस्वभावतायाः । “ન હિ” ચસ્માત્ “અવસ્થાર્ય સંસારિભુતાવ્યું ‘“વચિત્’જ્ઞાનૈવમાવવિરોધાત્॥ ૮॥ વિવેચન :- પૂર્વે આવેલા ૧૯૩ થી ૧૯૭ સુધીના પાંચ શ્લોકમાં એકાન્ત "" ૧. જો પદાર્થને ક્ષણમાત્ર સ્થિતિ ધરાવનાર માનીએ, તો જે ક્ષણે તેની સ્થિતિ છે. તે ક્ષણે તેની અસ્થિતિ નહીં મનાય, સ્થિતિ અને અસ્થિતિનું સાથે-એક ક્ષણે વર્તવું એ યુક્તિસંગત નથી. અને ક્ષણમાત્ર સ્થિતિ ધરાવનાર પદાર્થને જો બીજી-પશ્ચાદ્ ક્ષણમાં પણ તેની સ્થિતિ છે તેમ સ્વીકારશો, તો તે ક્ષણે પણ યુક્તિસંગત ન હોવાને કારણે જ-તેની અસ્થિતિ નહિ સ્વીકારી શકાય. (અને સ્વીકારો તો પદાર્થ દ્વિક્ષણસ્થિતિ ધરાવતો થઇ જશે, જે તમારા મત મુજબ અયોગ્ય છે.) એટલે તમારે પ્રથમ ક્ષણે વર્તતા સત્ એવા પદાર્થનું દ્વિતીય ક્ષણે અસત્ત્વ માનવું જ પડશે. અને તે માનવા જતાં ઉપરોક્ત ૧૯૫માં શ્લોકમાં કહેલા દોષો આવી જ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy