SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૯ न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्यथानन्दाय धीमताम् । तथा पापसखा लोके, देहिनां भोगविस्तरः ॥ १५९॥ ગીતાર્થ = અલક્ષ્મી (દરિદ્રતા) છે સખી જેની એવી લક્ષ્મી આ લોકમાં બુદ્ધિમાનોને આનંદ માટે જેમ થતી નથી. તેવી જ રીતે પાપ છે. મિત્ર જેનો એવો સંસારસુખના ભોગોનો વિસ્તાર આ દૃષ્ટિમાં આવેલા જીવોને આનંદ માટે થતો નથી. || ૧૫૯ // ટીકા-“”િ નૈવ, “ ” “નક્ષ્મતમ પરિબોળેન,” “યથાન ” માનન્દાર્થ, “થીમત” વૃદ્ધિમતાં , “તથા પીપલ નો” તવિનામાવેન, “દિનાં મોવત” નાનાથ, “નાનુદિત્ય ભૂતાનિ મો: સમવતિ ભૂતોથાતી પાપતિ ભાવના' ! ૨૧૬ વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવને સાંસારિક ભોગોનો વિસ્તાર કેવો લાગે? તે વાત એક ઉપમા આપવા દ્વારા ગ્રન્થકાર સમજાવે છે કે “અલક્ષ્મી” અર્થાત્ દરિદ્રતા છે સખી જેની એવી લક્ષ્મી કોઈ પુરુષને મળી હોય તો તે લક્ષ્મી બુદ્ધિશાળી પુરુષને આનન્દ માટે થતી નથી. સારાંશ કે કોઈ એક પુરુષને ધારો કે લક્ષ્મી મળી છે. પરંતુ અમુક વર્ષો પછી તે નિયમાં ચાલી જ જવાની છે, એવી હોય. તો તુચ્છબુદ્ધિવાળાને લક્ષ્મી દેખીને કદાચ આનંદ થાય. પરંતુ વિશિષ્ટિબુદ્ધિવાળા પુરુષને તેવી લક્ષ્મી જોઈને આનંદ થતો નથી. કારણ કે જ્યારે લક્ષ્મી મળી ત્યારે લક્ષ્મી હોવાના કારણે જીવન જીવવાની પદ્ધતિ તે રીતે ગોઠવાઈ જાય. બહુ પૈસો થાય એટલે માણસ બંગલા જેવું મોટું ઘર લે, સારી કાર લે, સોના-રૂપાના ઘણા દાગીના બનાવે, વિશિષ્ટ વસ્ત્રો અને ભોજન કરે. ઘરમાં નોકરો અને વિશિષ્ટ ફરનીચર બનાવે. આ રીતે સુખ-ભોગવાળું જીવન જીવવાની પદ્ધતિ જ પડી જાય. ત્યારબાદ તે જ બધી લક્ષ્મી ચાલી જાય ત્યારે બંગલો, કાર, દાગીના અને નોકરી છોડીને જે જીવન જીવવું પડે તે અતિશય ત્રાસદાયી થાય. પ્રથમથી જો લક્ષ્મી હોય જ નહી તો મજુરી કરનારા લોકો જે રીતે આનંદથી પોતાનું જીવન જીવે છે. તે રીતે દરિદ્રતામાં પણ તે આનંદિત જીવન જીવત. પરંતુ ધનવાન થયા પછી-ઉપરોક્ત રીતિ મુજબ જીવન જીવવાને ટેવાયા પછી દરિદ્રતા આવે ત્યારે દુઃખમય જીવન જીવવામાં ઘણું જ દુઃખ લાગે. તેથી જેની પાછળ તુરત દરિદ્રતા આવવાની છે. એવી લક્ષ્મી બુદ્ધિમંતોને જેમ આનંદ માટે થતી નથી. તેવી જ રીતે આ સંસારનો ભોગવિસ્તાર પાપસખાવાળો છે માટે આ દૃષ્ટિવાળાને ગમતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy