SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૭ ગાથા : ૧૦૪ યોગદષ્ટિ સમુચ્ચય ટીકા -“પ્રતિપત્તિસ્તતાજી'' સર્વય “સામાન્યર્ન વિતા'-તન્નાતરીયા,પિ, “તે સર્વેના તાપન્ના” સર્વ અમેતિ “ચાયતિઃ પર.” तमन्तरेण तत्प्रतिपत्तेरसिद्धेः ॥ १०४॥ - વિવેચન :- “જે સર્વ દોષ રહિત છે. અને સર્વગુણસંપન્ન છે તથા ત્રિકાળજ્ઞાની છે. સર્વ દ્રવ્યાદિ ભાવોના પૂર્ણ જ્ઞાતા છે તે જ સાચા સર્વજ્ઞ છે. વીતરાગ છે. ભગવાન છે. એવા જે હોય તે અમારા ભગવાન્ હો એમ મનમાં માનીને બુદ્ધ-શંકરબ્રહ્મા-વિષ્ણુ-મહેશ કે અરિહંત ઇત્યાદિ ભિન્ન-ભિન્ન નામે (ભિન્ન-ભિન્ન નામવાળી વ્યક્તિમાં) જે ભક્તિ કરે છે, જે સેવા-પૂજા કરે છે. તે સર્વે ઉપાસકો પણ સામાન્યથી સર્વજ્ઞના આશ્રિત જાણવા. એ જ સાચી ન્યાયની રીતિ છે. કારણ કે તે મુખ્ય સર્વજ્ઞ વિના સર્વજ્ઞની પ્રતિપત્તિ ઘટી શકે નહીં. ભાવાર્થ આ પ્રમાણે છે કે-પાણીથી ભરપૂર ભરેલું અને ક્ષેત્રથી મોટી લંબાઈપહોળાઈવાળું હોય તેને વાસ્તવિક ‘તળાવ” કહેવાય છે. આવું તળાવનું સામાન્ય લક્ષણ જેણે સ્વીકાર્યું છે તે ભ્રમથી કદાચ પાણીથી ભરાયેલા મોટા ખાબોચીયાને પણ “તળાવ” માની લે એમ બને, પરંતુ ખાબોચીયાને તળાવ માનનારાએ વાસ્તવિક સાચા તળાવનો સ્વીકાર કર્યો જ છે. કારણ કે જો વાસ્તવિક તળાવ ન સ્વીકાર્યું હોત તો તેના વિના ખાબોચીયાને તળાવ તરીકે ઉપચાર કરવાની કલ્પના સિદ્ધ થઈ શકી ન હોત. કોઇએ ઉંચા પર્વતને દેખીને આ તો મેરૂપર્વત છે એમ માની લીધું. તેનો અર્થ એ કે આ સંસારમાં કયાંક પણ મેરુપર્વત છે એમ તેણે માની લીધું કહેવાય, કારણ કે જો તેણે મેરુપર્વત જ ન સ્વીકાર્યો હોત તો તેના વિના આ વિવક્ષિત પર્વતમાં પણ મેરુપર્વતની જે કલ્પના તેણે કરી તે કરી શક્યો ન હોત. કોઇએ દોરડામાં સર્પની બુદ્ધિ કરી, તેનો અર્થ એ કે તેણે સંસારમાં સર્પ હોય છે. એમ તો સ્વીકારી જ લીધું. અન્યથા પારમાર્થિક સર્પ વિના દોરડામાં સર્પની પ્રતિપત્તિ કેમ ઘટે? ઝાંઝવાના જલમાં જલબુદ્ધિ જેને થઈ તેણે આ સંસારમાં પારમાર્થિક જલ હોય છે એમ તો સ્વીકારી જ લીધું. તેના વિના ઝાંઝવાના જલમાં જલબુદ્ધિ ઘટી શકે નહીં. આ બધાં દૃષ્ટાન્નોની જેમ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આદિમાં જેણે ભગવાનપણાની કે સર્વજ્ઞપણાની બુદ્ધિ કરી છે તેણે પણ સાચા સર્વજ્ઞ જગતમાં હોય છે એમ સામાન્યપણે સર્વજ્ઞનો સ્વીકાર કર્યો જ છે. સર્વજ્ઞનું જે લક્ષણ ઉપર બાંધવામાં આવ્યું છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy