SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૮૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૯ જેના એવા અને (સિતાનિવાસી) રેતીવાળા દેશમાં રહેતો હોવાથી (નવાહ) નથી પ્રાપ્ત થયો (તૃM) તણખલા દ્વારા (ઇન્દુ) ખણવાનો (વિનોહ્ય) વિનોદ-આનંદ જેને એવા પુરુષને (મિક્ષાપુટિવ) ભિક્ષા માંગવા માટેના પોટલા આદિની સાથે (ગૃહીતતુપૂત્રન) ગ્રહણ કર્યો છે તૃણનો મોટો પૂળો જેણે એવા (લૈદાથ) રોગને મટાડનારા એવા વૈદ્યરાજ પથિકની સાથે (વર્ણન વમૂવ) દર્શન થયું. ભિક્ષા માંગવા માટેના પોતાના પોટલાની સાથે તૃણનો પૂળો જેણે બાંધેલો છે એવા દૂરથી આવતા કોઈ વૈદ્યમુસાફરનું ખસના રોગીને દર્શન થયું. અહીં દિર્ઘઃ પદમાં જે તૃતીયાવિભક્તિ છે તે સદ ના અર્થમાં જો લઇએ તો ખેતરમાં ગયેલ ખેડૂત ભાતું રાખવાનાં વાસણો સાથે તૃણના પૂળા ખેતરમાંથી બાંધીને લાવે છે. તેનું દર્શન થયું. એવો અર્થ નીકળે છે અને પુટિarદ: પદમાં જો કરણમાં તૃતીયા લઈએ તો ભોજન માટેનાં જે જે માટીના બનાવેલાં વાસણો હોય છે તે બનાવી બજારમાં વેચીને તેના આવેલા પૈસા દ્વારા બજારમાંથી જેણે તૃણપુંજ ગ્રહણ કર્યો છે. એવા મુસાફરનું દર્શન થયું. એમ પણ અર્થ થાય છે. () તે વૈદ્યપથિક પાસે (તેને) તે ખસના રોગવાળા રોગી પુરુષ વડે (તુર્વિ) એક તૃણ-તણખલું (યાવિતઃ) મંગાયું (વાન) અને આ વૈદ્ય પથિક વડે (તત) તે એક તૃણ (ત) તે રોગીને (વાં) અપાયું (સૌ) આ રોગી પુરુષ (ઢન) હૃદયથી (પરિતુ ) ઘણો જ ઘણો ખુશ થયો, કારણ કે રેતીવાળો દેશ હોવાથી પોતાના દેશમાં તૃણની અપ્રાપ્તિ હતી અને નખો ઘસાઈ ગયા હતા, ખસના રોગની ખંજવાળ વારંવાર આવતી હતી, તેથી ખણવાનું જો કોઈ સાધન મળી જાય તો તેનો વિનોદ (આનંદ) અનુભવી શકાય. એટલે સાધનની પ્રાપ્તિની તે રોગી રાહ જ જોતો હતો. એવામાં વૈદ્યપથિક પાસેથી એક તૃણ માગવાથી પ્રાપ્ત થવાના કારણે ખણવાનો આનંદ અનુભવાશે એમ સમજીને તે હૃદયથી ઘણો જ ખુશ ખુશ થયો. (ત્રિન્તિ સન્તોષ) પોતાના હૃદયમાં ઘણા સંતોષની સાથે તેણે વિચાર્યું કે (કહો થ: રાત્ત્વ) અહો- આનંદની વાત છે કે આ વૈદ્યપથિક ખરેખર ધન્ય છે. (વસ્થતાત્તિ વાહૂનાન) કે જે આ વૈદ્યપથિકની પાસે આટલાં બધાં કંડ્રયન (ખણવાના સાધનભૂત તણખલાં) છે. (પૃ :) તે રોગીવડે તે વૈદ્યપથિકને પૂછાયું કે (ાવમતિપૂતન તિતિ) હે વૈદ્યપથિક ! આવા પ્રકારનાં અતિશય બહુ આ કંપ્નયન (ખણવાના સાધનભૂત તણખલાં) (વવ હતુ કવાથને) ખરેખર ક્યાં મળતાં હશે? કયા દેશમાં આ તૃણ મળતાં હશે? તે મને જણાવો. (તેનોવતમ્) તે વૈદ્યપથિક વડે કહેવાયું કે (દિવેલી) લાટ દેશ આદિ દેશોમાં આ તૃણ ઘણાં મળે છે. પરંતુ યો. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy