SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૭૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૧ દોડધામ કરે છે રચ્યા-પચ્યા રહે છે. આ જ અવેદ્યસંવેદ્યપદનો પ્રભાવ છે. આ પ્રમાણે અવેદ્યસંવેદ્યપદના પ્રભાવથી વિપરીત બુદ્ધિ થાય છે વિપરીત બુદ્ધિથી વિવેકાન્ધ બને છે. અને વિવેકાન્ય બનવાથી માત્ર (સામ્પ્રતેક્ષી) વર્તમાનને જ જોનારા થાય છે. અને તેથી જ સંસારમાં ખેદ પામે છે. એમ પરસ્પર કાર્ય-કારણભાવ છે. (૭૮ તથા ચ= તે જ વાત વધારે સ્પષ્ટ કરે છે. બન્મ-મૃત્યુ-ગર-વ્યાધિ-રો શોપિકૃતમ્ | वीक्षमाणा अपि भवं, नोदविजन्तेऽतिमोहतः ॥ ७९॥ ગાથાર્થ = જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-રોગ અને શોક વગેરે દુ:ખોથી ઉપદ્રવવાળા એવા આ સંસારને સાક્ષાત્ દેખવા છતાં પણ જીવો અતિશય મોહને લીધે ઉદ્વેગ પામતા નથી. તે ૭૯ો ટીકા -“મન” પ્રાદુર્ભાવનક્ષvi, “y:' - પ્રાચિા દ્વિપ , “ગર'' વયોહાત્મિળા, ધષ્ઠાત્નિક્ષ: “m'વિશ્વશાંતિ,શો: ફવિયોતિનો મનોવિજે, “મતિ” શત્ પ્રણાિિરપ્રદઃ I fમ “કુત'' થત “લક્ષમાT '' પત્તોડ સત્તઃ “અવં' સંસાર, નવિનત્તેિિત પ્રમ:, “તિમોહતો” તોરિત્તિ | ૭૧ વિવેચન :-અવેદ્યસંવેદ્યપદના પ્રભાવથી (મિથ્યાત્વમોહની તીવ્રતાથી) જ આ સંસાર અનેકવિધ દુઃખોથી ભરેલો છે છતાં જીવને ત્યાં વિપર્યાય બુદ્ધિ થાય છે. અને જન્મમરણ આદિ દુઃખોથી ભરેલો સંસાર દેખવા છતાં પણ દુઃખમાં સુખબુદ્ધિ થવા રૂપ વિપરીત બુદ્ધિના કારણે ઉદ્ગ પામતો નથી. ઉલટું મધુબિન્દુના દૃષ્ટાન્તથી સુખ માનીને હોંશે હોંશે પ્રવર્તે છે. અને કાળાન્તરે મહાદુઃખી થાય છે. પ્રશ્ન :- સંસારમાં ધનનું સુખ, સ્ત્રીનું સુખ, ભોજનનું સુખ, નાટક-સીનેમા જોવાનું સુખ, પરિવારનું સુખ, એમ પૌદ્ગલિક સુખ હોવા છતાં સુખ નથી અને દુઃખોની જ ખાણ છે એમ કેમ કહો છો ? ઉત્તર :- ઉપરોક્ત ઇન્દ્રિયજન્ય સુખો (૧) ક્ષણભંગુર છે. (૨) વિકાર-વાસના ઉત્પન્ન કરનારાં છે. (૩) અને ઉપાધિઓથી ભરેલાં છે. (૪) નિયમા વિયોગવાળાં છે. (૫) વિયોગકાળે દુઃખ જ સરજનારાં છે. (૬) તેમના તરફથી પ્રતિકૂળતા ન આવી હોય ત્યાં સુધી જ મધ જેવાં લાગનારાં છે. (૭) પ્રાપ્તિમાં-ભોગમાં અને વિયોગમાં અપાર દુઃખ આપનાર છે. આ પ્રમાણે ઇન્દ્રિયજન્ય સુખો એ પારમાર્થિક સુખ નથી. છતાં ધારો કે તે ઇન્દ્રિયજન્ય સુખો એ સુખો છે. તો પણ જન્મ-મૃત્યુજરા-વ્યાધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy