SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ ચરમાવર્તમાં આત્મા જ્યારે તથાભવ્યત્વના પરિપાકથી પ્રવેશ કરે છે ત્યારે જ સંશુદ્ધ એવું કુશલચિત્તાદિ યોગબીજ આવે છે. જે અન્યકાળે એટલે અચરમાવર્તકાલે સંદ્ધવ-જેમ સંશુદ્ધ ચિત્ત હોતું નથી, કુશલચિત્તાદિ સંભવતાં નથી, તેની જેમ આ ચરમાવર્તકાળે સંશુદ્ધિાનુપપ: અસંશુદ્ધ ચિત્ત કદાપિ સંભવતું નથી. જેમ અન્યકાળે સંશુદ્ધચિત્ત ન હોય તેમ ચરમાવર્તકાળે અસંશુદ્ધ ચિત્તની અનુપત્તિ જ હોય છે. ગત વાદ એથી જ ગ્રંથકારશ્રી કહે છે કે- નાચતાપિ આ સંશુદ્ધ ચિત્ત ચરમાવર્ત વિનાના અન્યકાળે પણ હોય એવું બનતું નથી. કારણકે ચરમાવર્તના પૂર્વકાળમાં (એટલે અચરમાવર્તકાળમાં) અતિશય ફિલષ્ટતર આશય હોવાથી, અને ચરમાવર્તના પાછળના અંતિમકાળમાં અતિશય વધારે વિશુદ્ધતર આશય હોવાથી ચરમાવર્તના પૂર્વેના કાળમાં એટલે અચરમાવર્તમાં કે પશ્ચાત્ કાલમાં (એટલે ચરમાવર્તના અતિશય અન્તિમકાળમાં) આ કુશલચિત્તાદિ યોગબીજ સંભવતાં નથી, પૂર્વકાલમાં મિથ્યાત્વની કટુતા ઘણી વધારે હોય છે અને પછીના કાળે મિથ્યાત્વાદિનો પૂર્ણપણે ક્ષય થવાથી આ આત્મા નિરાલંબનાદિ અવસ્થા પામે છે. માટે ચરમાવર્તના પ્રારંભકાળે (બહુ ભાગ પ્રમાણ કાળ ગયે છતે) મિથ્યાત્વની મંદતા થવાથી આ આત્મા કુશલચિત્ત, નમસ્કાર, અને સંશુદ્ધપ્રણામાદિરૂપ યોગબીજ પ્રાપ્ત કરે છે. એમ યોગાચાર્ય મહાત્માઓ પૂર્વશાસ્ત્રોમાં કહે છે. તે ૨૪ | एवं समयमभिधायैतदभिधित्सया त्वाहઆ પ્રમાણે કુશલચિત્તાદિ યોગબીજનો કાળ જણાવીને હવે આ યોગબીજ કેવું હોય છે ? એ જણાવવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે કે उपादेयधियात्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ॥२५॥ ગાથાર્થ = સંશુદ્ધ એવું આ કુશલચિત્તાદિ યોગબીજ (૧) અત્યંત ઉપાદેયપણાની બુદ્ધિવાળું, (૨) આહારાદિ સંજ્ઞાઓને અટકાવનારું, અને (૩) સાંસારિક સુખના ફળની અપેક્ષા વિનાનું હોય છે. રિપો ટીકા “રૂપિિધયા'-૩૫એવુદ્ધિા “અત્યન્ત સર્વવ્યાપાર તથાપરपाकात्सम्यग्ज्ञानपूर्वरूपत्वेन, "संज्ञाविष्कम्भणान्वितम्" क्षयोपशमवैचित्र्यादाहारादिसंज्ञोदयाभावयुक्तम् । संज्ञा आहारादिभेदेन दश । तथा चार्षम्-कइविहा णं भंते सन्ना पन्नत्ता ? गोयमा ! दसविहा- तं जहा-आहारसन्ना, भयसन्ना, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy