SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭ પ્રત્યનીકભૂત (શત્રુભૂત) એવા જે ખેદાદિ આશયવિશેષો (ચિત્તના દોષો) છે. તેઓનો પરિહાર કરવાથી આ સદૃષ્ટિ આવે છે. તે દોષો પણ આઠ જ છે. કહ્યું છે કે ખેદઉગ-ક્ષેપ-ઉત્થાન-બ્રાન્તિ-અન્યમુદ્ રુ અને આસંગ દોષોથી યુક્ત એવાં ચિત્તોને મતિમાનું પુરુષે વિશેષે વિશેષે ત્યજી દેવાં જોઇએ. તે આ દોષોના પરિહારથી અનુક્રમે આઠ પ્રકારે આ સદૃષ્ટિ આવે છે. એમ કરવાથી અદ્વેષ આદિ આઠ પ્રકારના ગુણોનું સ્થાન પ્રગટ થાય છે અર્થાત્ ગુણો આવિર્ભત થાય છે. તે ગુણો પણ આઠ જ છે. કહ્યું છે કે (૧) અષ, (૨) જિજ્ઞાસા, (૩) શુશ્રુષા, (૪) શ્રવણ, (૫) બોધ, (૬) મીમાંસા, (૭) પ્રતિપત્તિ અને (૮) પ્રવૃત્તિ. એમ પરમાર્થતત્ત્વમાં આઠ ગુણો પ્રગટ થાય છે. આ પ્રમાણે અષી આદિ આ આઠ ગુણમય અંગવાળી આ સદ્દષ્ટિઓ છે. આ પ્રમાણે અનુક્રમે આ સદ્દષ્ટિ સતાં-યૌગિકમુનિઓને માન્ય છે. જૈનદર્શનના યોગાચાર્યોને તો માન્ય છે જ, પરંતુ અન્ય દર્શનના પણ જે જે યોગાચાર્યો છે ભગવાનું પતંજિલ, ભદન્ત (ભગવાન) ભાસ્કરબંધુ, ભગવાન્ દત્તમુનિ, ઇત્યાદિ. તે તે યોગાચાર્યોને પણ “આ સદ્દષ્ટિ કહેવાય” એમ માન્ય છે. આ આઠે દૃષ્ટિઓનું સાકલ્ય=સંપૂર્ણ સ્વરૂપ, અર્થાત્ વિસ્તારથી વર્ણન અમે યથાસ્થાને પ્રત્યેક દૃષ્ટિના વર્ણન પ્રસંગે જણાવીશું. ll૧૬ll साम्प्रतं दृष्टिशब्दार्थाभिधानायाहહવે “દૃષ્ટિ” શબ્દનો અર્થ જણાવતાં કહે છે કે सच्छ्रद्धासङ्गतो बोधो, दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात्, सत्प्रवृत्तिपदावहः ॥१७॥ ગાથાર્થ = સમ્યમ્ શ્રદ્ધાથી યુક્ત એવો જે બોધ તે યોગની “દૃષ્ટિ” કહેવાય છે. આ બોધ અસત્ પ્રવૃત્તિને અટકાવનાર હોવાથી સત્ પ્રવૃત્તિવાળા પદને (સ્થાનને) આપનાર છે. ll૧૭ી ટીકા - “ષ્ટ્રવાસતો જોય: 'રૂત્યનાછૂદ્ધા વ્યવચ્છેદ્રમાદ, મસા चेह शास्त्रबाह्या स्वाभिप्रायतस्तथाविधासद्हात्मिका गृह्यते । तवैकल्यात् “ષ્ટ્રદ્ધાસકૃત:” રૂત્તિ અવધૂતો વોથોડવામ: 1 વિમિત્યોદ-દષ્ટિરિત્યમથીયતે दर्शनं दृष्टिरिति कृत्वा। निष्प्रत्यपायतया । फलत एतामाह- "असत्प्रवृत्तिव्याघातात् ॥” इति तथा श्राद्धतया शास्त्रविरुद्धप्रवृत्तिव्याघातेन किमित्याह"सत्प्रवृत्तिपदावहः" इति । शास्त्राविरुद्धप्रवृत्तिपदा-वहोऽवेद्यसंवेद्यपरित्यागेन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy