SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૨૬ છઠ્ઠો કર્મગ્રંથ નામકર્મની પ્રકૃતિઓ ઘણી હોવાથી યાદ રાખવી મુશ્કેલ ન બને અને સુખે સુખે સ્મૃતિગોચર રહે તે માટે પ્રથમ ક્રમસર ૧૪ પિંડ પ્રકૃતિઓમાંથી, ત્યારબાદ પરાઘાતાદિ ૮ પ્રત્યેક પ્રકૃતિઓમાંથી અને ત્યારબાદ ત્રણ દશક અને સ્થાવર દશકમાંથી પહેલા કર્મગ્રંથમાં જણાવેલા ક્રમે જ પ્રકૃતિઓ અહીં લખાશે. તેથી તે ક્રમ બરાબર યાદ રાખવો. વળી પહેલા કર્મગ્રંથમાં નામકર્મની ૪૨ - ૬૭ - ૯૩ - ૧૦૩ પ્રકૃતિઓ જણાવી છે. પરંતુ ત્યાં જ “દ સત્ત જન્ય ’ આ ગાથામાં બંધના અધિકારમાં અને ઉદયના અધિકારમાં ૬૭ લેવાનું કહ્યું છે. તે પ્રમાણે અહીં ૬૭ની સંખ્યાથી જ કહેવાશે તથા સત્તામાં ૯૩ અને ૧૦૩ એમ બે સંખ્યા છે. પરંતુ ૧૦૩ની સંખ્યા ગર્ગષિ આદિ અન્ય આચાર્યોના મતે છે. એટલે તેને છોડીને સ્વમતે ૯૩ની સંખ્યા પ્રમાણે કહેવાશે. બંધસ્થાનક તથા તેના બંધભાંગા સમજતાં પહેલાં બંધને આશ્રયી કેટલાક નિયમો જાણવા જેવા છે. તે આ પ્રમાણે - (૧) અપર્યાપ્ત પ્રાયોગ્ય જે જે બંધસ્થાનક આવે છે તે લબ્ધિ અપર્યાપ્તાને આશ્રયી જ સમજવાં. (તે ભવમાં ગયા પછી માત્ર ૩ પર્યાયિઓ અથવા ૪/૫ પૂર્ણ કરીને તે જીવો મૃત્યુ જ પામનારા જાણવા.) તેથી અપર્યાપ્તા પ્રાયોગ્ય બંધ જ્યારે થતો હોય ત્યારે પર્યાપ્તાને જ ઉદયમાં આવે તેવાં પરાઘાત નામકર્મ અને ઉચ્છવાસ નામકર્મ બંધાતાં નથી. માત્ર પર્યાપ્તા પ્રાયોગ્યમાં જ તે પરાઘાત અને ઉચ્છવાસનો બંધ થાય છે. (૨) આપ નામકર્મનો ઉદય સૂર્યના વિમાનમાં રહેલા રત્નાદિગત પૃથ્વીકાયજીવોને જ હોય છે. એટલે ત્યાં ઉત્પન્ન થનારા જીવો આતપ નામકર્મ બાંધે છે અને તે રત્નાદિગત પૃથ્વીકાય જીવો બાદર-પર્યાપા જ હોય છે. તેથી પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬માં જ આતપ નામકર્મ બંધાય છે. પણ બાકીનાં બંધસ્થાનકમાં બંધાતું નથી તથા આતપ બંધાય ત્યારે નિયમ બાદર-પર્યાપ્તા-પ્રત્યેક નામકર્મ જ બંધાય છે. પણ સૂક્ષ્મ-અપર્યાપ્ત કે સાધારણ નામકર્મ બંધાતાં નથી. કારણ કે તેવા જીવોમાં આપનો ઉદય સંભવતો નથી. (૩) ઉદ્યોત નામકર્મનો બંધ પણ છે. એકે., પ. વિધે. અને પ. પં. તિર્યંચ પ્રાયોગ્ય બંધકાલે જ થાય છે. તેથી તિર્યંચગતિ બંધાતી હોય ત્યારે જ ઉદ્યોત બંધાય છે અને પુણ્યપ્રકૃતિ હોવાથી તેનો ઉદય અપર્યાપ્તાને, સૂમને અને સાધારણને હોતો નથી. તેથી ઉદ્યોતનો બંધ અપર્યાપ્ત નામકર્મ, સૂકમ નામકર્મ અને સાધારણ નામકર્મની સાથે થતો નથી. પણ બાદર-પર્યાપ્તા-પ્રત્યેકની સાથે જ થાય છે. (૪) યશ નામકર્મ પણ પુણ્યપ્રકૃતિ હોવાથી સૂકમ-અપર્યાપ્ત અને સાધારણ નામકર્મ જ્યારે-જ્યારે બંધાય છે, ત્યારે ત્યારે તે બંધાતું નથી પણ બાદર-પર્યાપ્ત અને પ્રત્યેક નામકર્મ બંધાય છે ત્યારે જ યશ નામકર્મ બંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy