SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૨૩-૨૪ पंचविह चउव्विहेसु, छ छक्क सेसेसु जाण पंचेव । પત્તાં પત્તાં, વત્તાર વંથવુછે . ૨૪ | त्रीण्येव तु द्वाविंशतौ, एकविंशतौ अष्टाविंशतिः सप्तदशे । षडेव त्रयोदशसु, नव बन्धकेषु पञ्चैव स्थानानि ।। २३ ॥ पञ्चविधचतुर्विधेषु षट् षट, शेषेसु जानीहि पञ्चैव । प्रत्येकं प्रत्येकं, चत्वारि तु बन्धव्यवच्छेदे ।। २४ ॥ ગાથાર્થ - બાવીસના બંધે ત્રણ, એકવીસના બંધે અઠ્યાવીસનું, સત્તરના બંધમાં છે અને તેના બંધમાં તથા નવના બંધમાં પાંચ પાંચ સત્તાસ્થાન હોય છે. ૨૩ / પાંચ અને ચારના બંધમાં છ છ સત્તાસ્થાનો છે અને બાકીનાં દરેક બંધસ્થાનકોમાં પાંચ પાંચ જ સત્તાસ્થાનક છે તથા બંધવિચ્છેદ થયા પછી સૂક્ષ્મસંઘરાયે ચાર સત્તાસ્થાનક હોય છે. તે ૨૪ / વિવેચન - મોહનીયકર્મનો ૨૨નો બંધ મિથ્યાત્વે હોય છે. ત્યાં મોહનીયકર્મનાં ૨૮ - ૨૭ - ૨૬ આ ત્રણ સત્તાસ્થાનો હોય છે. એકીસાથે એક જીવને જેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય તેને સત્તાસ્થાનક કહેવાય છે. સમ્યકત્વ પામીને ત્રિપુંજીકરણ કરીને જે જીવો મિથ્યાત્વે આવ્યા છે તેવા જીવોને ૨૮ની સત્તા હોય છે. મિથ્યાત્વે આવી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ કાલ સુધીમાં સમ્યકત્વમોહનીયની અને બીજા અસંખ્યાતમા ભાગમાં મિશ્ર મોહનીયની ઉઠ્ઠલના (સમાપ્ત) કરે છે. જ્યાં સુધી સમ્યકત્વ મોહનીયની ઉવલના સમાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યકત્વમોહનીયની સત્તા હોવાથી ૨૮ની સત્તા ગણાય છે. સમ્યકત્વ મોહનીયની ઉવલના પૂર્ણ થયા પછી ર૭ની સત્તા હોય છે અને મિશ્રમોહનીયની ઉર્વલના પૂર્ણ થયા પછી ૨૬ની સત્તા હોય છે તથા જે જીવો સમ્યકત્વ પામ્યા જ નથી અને તેના કારણે ત્રિપુંજીકરણ કર્યું જ નથી તેવા અનાદિ મિથ્યાત્વી આત્માઓને પણ ૨૬ની જ સત્તા હોય છે. ૭ - ૮ - ૯ - ૧૦ આ ચાર ઉદયસ્થાનક અને તેની ૮ ચોવીસી અને તેના ૧૯૨ ઉદયભાંગા ૨૨ના બંધ હોય છે. તેમાં અનંતાનુબંધીના ઉદય વિનાની જે ૪ ચોવીસીઓ છે. તે અનંતાનુબંધીની વિસંયોજના કરીને સમ્યકત્વથી પડીને પહેલા ગુણઠાણે આવનારા જીવને પ્રથમ આવલિકા માત્રમાં જ હોય છે. કારણ કે પ્રથમ સંક્રમાવલિકા ગયે છતે અપ્રત્યાખ્યાનીયાદિ કષાયોના સંક્રમથી થયેલ અનંતાનુબંધીનો ઉદય શરૂ થાય છે અને પછી બંધ દ્વારા થયેલા અનંતાનુબંધીનો પણ ઉદીરણા દ્વારા ઉદય શરૂ થાય છે. પરંતુ પ્રથમાવલિકામાં અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. તે કાલે સમ્યકત્વ - મિશ્ર મોહનીયની ઉવલના થયેલી નથી. પરંતુ ત્રિપુંજીકરણ કરીને ચોથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy