SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ગાથા : ૧૭-૧૮ છઠ્ઠો કર્મગ્રંથ પ્રશ્ન - એક આવલિકા અનંતાનુબંધીનો જે અનુદય કાલ કહ્યો. તે બંધાવલિકા કહેવાય ? કે સંક્રમાવલિકા કહેવાય ? - ઉત્તર - નવો અનંતાનુબંધી કષાય જે બંધાય છે. તેને આશ્રયી પહેલા ગુણસ્થાનકની પહેલી જે આવલિકા છે તે બંધાવલિકા કહેવાય છે. આ જ પ્રથમ આવલિકા અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાયોના સંક્રમથી થયેલા અનંતાનુબંધીની અપેક્ષાએ સંક્રમાવલિકા કહેવાય છે. માટે આવલિકા એક જ છે. પરંતુ બંધાતા અનંતાનુબંધીને આશ્રયી તેને બંધાવલિકા અને સંક્રમથી થયેલા અનંતાનુબંધીને આશ્રયી સંક્રમાવલિકા કહેવાય છે. નવા બંધાતા અનંતાનુબંધીનો જઘન્યથી પણ અંતર્મુહૂર્ત અબાધાકાલ હોવાથી અંતર્મુહૂર્ત પછી જ ઉદય શરુ થાય છે. પરંતુ સંક્રમથી આવેલા અનંતાનુબંધીનો તે (બંધાવલિકા અથવા સંક્રમાવલિકારૂપ) એક આવલિકા ગયા પછી અવશ્ય ઉદય શરૂ થાય છે. તે માટે મિથ્યાત્વે આવા પ્રકારના જીવને અનંતાનુબંધીનો ઉદય એક આવલિકા કાલ ન હોવાથી ત્યાં ઓછામાં ઓછી ૭ (સાત) પ્રકૃતિઓનો ઉદય સંભવે છે. ક્રોધ - માન - માયા - લોભ આ ચારે પરસ્પર વિરોધી હોવાથી એકસાથે ચારે પ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી. પરંતુ અનંતાનુબંધી ક્રોધ જો ઉદયમાં હોય તો પાછળના ત્રણે ક્રોધ સમાન જાતીય હોવાથી અવશ્ય ઉદયમાં હોય છે. એવી જ રીતે અનંતાનુબંધી માન જો ઉદયમાં હોય તો ચારે માન, અનંતાનુબંધીની માયાના ઉદયે ચારે માયા અને અનંતાનુબંધી લોભના ઉદયે ચારે લોભ અવશ્ય ઉદયમાં હોય છે તથા જ્યાં અનંતાનુબંધી કષાય ઉદયમાં ન હોય અને અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ ઉદયમાં હોય તો અપ્રત્યાખ્યાનીયની સાથે પ્રત્યાખ્યાની અને સંજ્વલનના ક્રોધાદિ અવશ્ય ઉદયમાં હોય છે. આમ હોવાથી વિસંયોજક જીવને મિથ્યાત્વ ગુણઠાણાની પહેલી આવલિકામાં અનંતાનુબંધી કષાય વિના કોઈને ૩ ક્રોધ, કોઈને ૩ માન, કોઇને ૩ માયા અને કોઈને ૩ લોભ ઉદયમાં હોય છે. તેથી કષાય આશ્રયી ૪ ભાંગા થાય છે. - તેમાં પણ કોઈ જીવને પુરુષવેદનો ઉદય, કોઈ જીવને સ્ત્રીવેદનો ઉદય અને કોઈ જીવને નપુંસકવેદનો ઉદય હોય છે. તેથી ૪ કષાય ૪ ૩ વેદ કરવાથી ૧૨ ભાંગા થાય છે. તેમાં પણ કોઈ જીવને હાસ્ય - રતિનું યુગલ અને કોઈને અરતિ - શોકનું યુગલ ઉદયમાં હોય છે. આ રીતે ૪ કષાય x ૩ વેદ ૪ ૨ યુગલ = ૨૪ ઉદયભાંગા સાતના ઉદયના થાય છે. તેને એક ચોવીસી કહેવાય છે. ૧ મિથ્યાત્વ, ૩ પ્રકારના ક્રોધ, પુરુષવેદ, હાસ્ય-રતિ = એમ ૭ ૧ મિથ્યાત્વ, ૩ પ્રકારના ક્રોધ, પુરુષવેદ, અરતિ-શોક = એમ ૭ ૧ મિથ્યાત્વ, ૩ પ્રકારના ક્રોધ, સ્ત્રીવેદ, હાસ્ય-રતિ = એમ ૭ ૧ મિથ્યાત્વ, ૩ પ્રકારના ક્રોધ, સ્ત્રીવેદ, અરતિ-શોક = એમ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy