SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ટો કર્મગ્રંથ ગાથા : ૧૭-૧૮ ૩૩ ગાથાર્થ - બાવીસના બંધે સાતથી પ્રારંભીને દસ સુધીનાં અને એકવીસના બંધે સાતથી નવ સુધીનાં ઉદયસ્થાનો હોય છે. સત્તરના બંધે છથી નવ સુધીનાં, તેરના બંધે પાંચથી આઠ સુધીનાં ઉદયસ્થાનો હોય છે. નવના બંધક જીવોમાં ચારથી સાત સુધીનાં વધારેમાં વધારે ઉદયસ્થાનક હોય છે. પાંચના બંધે બેનો જ ઉદય હોય છે. ।।૧૭-૧૮ ।। વિવેચન - ૨૨ પ્રકૃતિનું મોહનીયકર્મનું બંધસ્થાનક મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે જ હોય છે. અને ત્યાં ઉદયસ્થાનક ૭-૮-૯-૧૦ એમ ચાર હોય છે. ત્યાં ઓછામાં ઓછી સાત પ્રકૃતિઓનો તો અવશ્ય ઉદય હોય જ છે. (૧) મિથ્યાત્વ મોહનીય, અપ્રત્યાખ્યાનીયાદિ ૩ કષાય (૩ ક્રોધ અથવા ૩ માન અથવા ૩ માયા અથવા ૩ લોભ). ત્રણ વેદમાંથી ૧ વેદ અને હાસ્ય - રતિ અથવા અરિત - શોકનું એક યુગલ. આમ ઓછામાં ઓછી ૭ પ્રકૃતિઓ મિથ્યાત્વ ગુણસ્થાનકે અવશ્ય ઉદયમાં હોય છે. પ્રશ્ન - મિથ્યાત્વ ગુણસ્થાનકે અને સાસ્વાદન ગુણસ્થાનકે અનંતાનુબંધી બંધાતો હોવાથી સત્તા છે જ. તો તેનો ઉદય પણ અવશ્ય હોવો જ જોઇએ. તો અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય - સંજ્વલન એમ ત્રણ કષાયોનો ઉદય કેમ કહો છો ? અનંતાનુબંધી સાથે ચારે કષાયોનો ઉદય હોવો જોઇએ ? ઉત્તર - પહેલા - બીજા ગુણસ્થાનકે અનંતાનુબંધીનો ઉદય જો કે અવશ્ય હોય છે. તો પણ જે જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્યાં અનંતાનુબંધી ચાર કષાયની વિસંયોજના કરી છે અને દર્શનત્રિકને ખપાવવા અસમર્થ બન્યો છે. તે જીવ મિથ્યાત્વમોહનો ઉદય થવાથી સમ્યક્ત્વથી પડીને જ્યારે મિથ્યાત્વે આવે છે અને અનંતાનુબંધી કષાયને પુનઃ નવા બાંધે છે, ત્યારે પ્રથમની એક બંધાવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. શેષકાલે સર્વદા નિત્ય ઉદય હોય છે. પ્રશ્ન - આવા જીવને અનંતાનુબંધીની વિસંયોજના કરેલી હોવાથી જુનો અનંતાનુબંધી કષાય તો સત્તામાં છે જ નહીં અને મિથ્યાત્વે આવવાથી જે નવો અનંતાનુબંધી કષાય બંધાય છે. તેની જઘન્યથી પણ અંતર્મુહૂર્ત અબાધા હોવાથી અંતર્મુહૂર્ત સુધી અનંતાનુબંધીનો અનુદયકાળ હોવો જોઇએ ? ફક્ત એક આવલિકા જ કેમ કહો છો ? ઉત્તર - મિથ્યાત્વે જીવ આવે ત્યારે પહેલા સમયથી જ અનંતાનુબંધી કષાય બંધાય છે. બંધ ચાલુ થવાથી તેની સત્તા તથા તેની પતહતા પણ ચાલુ થાય છે. પતહ બનવાથી બંધાતા એવા તે અનંતાનુબંધી કષાયમાં અપ્રત્યાખ્યાનાદિ ત્રણે કષાયો સંક્રમ પામવા માંડે છે. એટલે કે અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયોનું દલિક અનંતાનુબંધી રૂપે થવા લાગે છે. આ સંક્રમ કહેવાય છે. સંક્રમથી આવેલા તે અનંતાનુબંધીનો એક સંક્રમાવલિકા સુધી ઉદય થતો નથી. ત્યારબાદ તે સંક્રમથી આવેલા અનંતાનુબંધીનો અવશ્ય ઉદય શરુ થાય છે. તે માટે એક આવલિકા અનંતાનુબંધીનો અનુદય કાલ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy