SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) ગોત્રકર્મમાં ૧ નીચ-નીચ-નીચ, ૨ નીચ-નીચ-ઉચ્ચનીચ, ૪ ઉચ્ચ-નીચ–ઉચ્ચનીચ એમ ત્રણ ભાગ હોય છે. કારણ કે નરક-તિર્યંચગતિમાં નીચગોત્રનો જ ઉદય હોય છે. તેથી ઉચ્ચના ઉદયવાળા ભાંગા હોતા નથી. હંસ અને હાથી વગેરે કેટલાક તિર્યંચો શેષ તિર્યંચો કરતાં જે પ્રશંસનીય ગણાય છે. ત્યાં પણ નીચગોત્રનો મંદ રસોદય જાણવો. પણ ઉચ્ચગોત્રનો ઉદય ન ઘટાવવો. પરિણામની શુભાશુભ ધારા પ્રમાણે બંધ ઉચ્ચ અને નીચ બન્ને ગોત્રનો કરી શકે છે. અંતરાયકર્મમાં ૫ - ૫ - ૫ વાળો એક ભાંગો સમજવો. (૩) મનુષ્યગતિ : મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાનક હોવાથી મૂલકર્મના સાતે સાત ભાંગ ઘટી શકે છે. જ્ઞાનાવરણીયકર્મના ૫ - ૫ - ૫ તથા ૦ - ૫ - ૫ એમ બન્ને ભાંગા હોઈ શકે છે. દર્શનાવરણીયકર્મના સ્વમતે ૧૧ મતાન્તરે ૧૩ ભાંગા અર્થાત્ સર્વે ભાંગા ઘટી શકે છે. વેદનીયકર્મના પણ આઠે આઠ ભાંગા હોય છે. આયુષ્યકર્મના બંધ પૂર્વેનો ૧, બંધકાલના ૪, અને બંધ પછીના ૪, એમ નવે નવ ભાંગા હોય છે. ગોત્રકર્મના પ્રથમ ભાંગા વિનાના શેષ ૬ ભાંગા સંભવે. કારણ કે તેઉકાય-વાયુકાયના જીવો ઉચ્ચગોત્રની ઉદ્વલના કરે પછી જ “નીચ-નીચ-નીચ” વાળો પ્રથમ ભાંગો આવે છે. તે તેઉકાય અને વાયુકાય મનુષ્યગતિમાં જતા નથી. બીજો ભવ કરીને જાય તો ઉચ્ચગોત્ર બંધાઈ જવાથી બેની સત્તાવાળો ભાંગો જ મનુષ્યગતિમાં હોય છે. માટે પ્રથમ ભાંગા વિના શેષ ૬ ભાંગા જ ઘટી શકે છે. અંતરાયકર્મમાં ૫ - ૫ - ૫ વાળો ૧ ભાગો અને ૦ - ૫ - ૫ નો બીજો ભાંગો એમ બન્ને ભાંગ હોય છે. (૪) દેવગતિ : મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ એમ ૨ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયમાં ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે. દર્શનાવરણીયમાં ૯ - ૪ - ૯ / ૯ - ૫ - ૯ / ૬ - ૪ - ૯ / ૬ - ૫ - ૯ એમ ૪ ભાંગા હોય છે. વેદનીયકર્મમાં નરકગતિની જેમ સાતાના બંધના ૨ અને અસાતાના બંધના ૨ એમ કુલ ૪ ભાંગા હોય છે. આયુષ્ય કર્મમાં દેવગતિમાં સંભવતા પાંચે ભાંગા જાણવા. ગોત્રકર્મમાં નીચના બંધના બીજો-ત્રીજો એમ ૨ અને ઉચ્ચના બંધના ૨ એમ કુલ ૪ ભાંગા જાણવા. કારણ કે ઉચ્ચગોત્રની ઉવલના તેઉકાય-વાયુકાયમાં થાય છે. અને તે જીવો મરીને દેવમાં જતા નથી. તેથી “નીચ-નીચ-નીચ” વાળો પહેલો ભાંગો દેવગતિમાં ઘટતો નથી. તથા દેવોને ચાર જ ગુણસ્થાનક હોય છે અને ગોત્રકર્મનો અબંધ ઉપશાન્ત મોહથી શરૂ થાય છે. તેથી અબંધવાળા બે ભાંગા પણ હોતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy