SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૮૨ ૨૯૧ થાય છે. આ રીતે એક જીવના એક સમયના યોગસ્થાનકમાં અસંખ્ય સ્પર્ધકો હોય છે. તેને પૂર્વસ્પર્ધકો કહેવાય છે. કારણ કે સંસારી જીવોએ મન-વચન-અને કાયાની સહાયતાથી આ ભવ=સંસારમાં કરણવીર્યની જે વર્ગણાઓ અને જે સ્પર્ધકો કર્યો છે તેને પૂર્વકાલમાં આવાં સ્પર્ધકો ઘણીવાર કરેલાં હોવાથી પૂર્વસ્પર્ધક કહેવાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત એવા આ ક્ષેપક કેવલી પરમાત્માનો જીવ પોતાની સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં કરેલાં આવા પ્રકારનાં પૂર્વ સ્પર્ધકોમાંથી એકાધિક વિર્યાવિભાગવાળી વર્ગણાઓનો જે ક્રમ છે તે તોડ્યા વિના તે જ સ્પર્ધકોને અસંખ્ય ગુણહીન-અસંખ્ય ગુણહીન વિર્યવાળાં જે કરે છે. તેને અપૂર્વસ્પર્ધક કહેવાય છે. કારણ કે આટલા બધા હીન વિર્યવાળાં સ્પર્ધકો પૂર્વકાલમાં ક્યારે પણ કર્યા નથી. અપૂર્વસ્પર્ધકો બનાવવાના કાલમાં પ્રથમ સમયે અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશોમાં જે વર્યાવિભાગ છે તેને અસંખ્યાતગુણહીન વિર્યાવિભાગવાળા બનાવીને અપૂર્વસ્પર્ધકો કરે છે. બીજા સમયે તેના કરતાં અસંખ્ય ગણા આત્મપ્રદેશોમાં વિર્યાવિભાગ અસંખ્યગુણ હીન કરવા વડે તે આત્મપ્રદેશોમાં અપૂર્વસ્પર્ધકો કરે છે. આમ પ્રતિસમયે અસંખ્યાત ગણા આત્મપ્રદેશોમાં વીર્યાવિભાગનો નાશ કરવા વડે અસંખ્યાતગુણહીન-હીન વીર્યાવિભાગવાળાં આવા પ્રકારનાં અપૂર્વસ્પર્ધકો કરતો તે જીવ અપૂર્વસ્પર્ધકના ચરમસમય સુધી જાય છે. ત્યાર બાદ કિટ્ટીકરણકાલ આવે છે. કિટ્ટીકરણના કાલમાં પૂર્વ-અપૂર્વ એમ બન્ને પ્રકારના સ્પર્ધકોમાંથી અસંખ્યગુણહીન-અસંખ્યગુણહીન વિર્યાવિભાગો કરવા દ્વારા અને એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓનો ક્રમ તોડવા વડે આ જીવ પ્રતિસમયે યોગની અસંખ્ય-અસંખ્ય કિટ્ટીઓ કરે છે. આ કિટ્ટીઓ પ્રતિસમયે અસંખ્યાતગુણ હિન-અસંખ્યાતગુણહીન બનાવે છે. કિટ્ટીકરણના કાલમાં કુલ સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગ જેટલી જ કિટ્ટીઓ બનાવે છે. આ પ્રમાણે આ ક્ષેપક કેવલી ભગવાન બાદર કાયયોગનો વિરોધ કરતા હોય ત્યારે યોગના પૂર્વ સ્પર્ધકોમાંથી અપૂર્વસ્પર્ધકો અને પૂર્વ-અપૂર્વસ્પર્ધકોમાંથી કિટ્ટીઓ કરવાનું કામ કરે છે. આવા પ્રકારના કિટ્ટી સ્વરૂપે કરાયેલા યોગને “સૂક્ષ્મયોગ” કહેવાય છે. જેનો નિરોધ હવે પછી કરવાનો છે. કિટ્ટીકરણકાલમાં પણ બધાં જ પૂર્વસ્પર્ધકોનાં અપૂર્વસ્પર્ધકો, અને પૂર્વ-અપૂર્વ સ્પર્ધકોની કિટ્ટીઓ આ જીવ કરતો નથી. સંખ્યાતમા ભાગ જેટલા જ યોગની કિટ્ટીઓ કરે છે. બાકીના પૂર્વ-અપૂર્વ સ્પર્ધકોવાળા યોગનો નાશ કરે છે. એટલે કે નિરોધ કરે છે. આમ કિટ્ટીકરણનો કાલ પૂર્ણ થાય ત્યારે આ કેવલી ભગવાન કિટ્ટીરૂપ કરાયેલા યોગવાળા થાય છે. એટલે કે બાદરયોગવાળાને બદલે સૂક્ષ્મકિટ્ટીકૃત યોગવાળા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy