SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ગાથા : ૮૧ છઠ્ઠો કર્મગ્રંથ કરે છે. બંધ નવમે જ અટકી ગયેલ હોવાથી સમયજૂન ૨ આવલિકા જેટલું કર્મદલિક ક્રોધ-માનાદિમાં જે બચતું હતું તેની જેમ અહીં બચતું નથી. એટલે બીજી સ્થિતિ પણ નિર્લેપ અને પ્રથમ સ્થિતિ પણ નિર્લેપ બને છે. આ રીતે દશમા ગુણઠાણાના ચરમ સમયે લોભનો ઉદય વિચ્છેદ થાય છે. દશમું ગુણસ્થાનક સમાપ્ત થાય છે. જ્ઞાનાવરણીયાદિ ૧૬ કર્મપ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે અને મોહનીયનો ઉદય તથા સત્તાનો મૂલથી સંપૂર્ણ વિનાશ થાય છે. જ્ઞાનાવરણીયાદિ ૩ ઘાતી કર્મોનો દશમાના છેલ્લા સમયે અંતર્મુહૂર્તનો સ્થિતિબંધ થાય છે. નામ-ગોત્રકર્મનો આઠ મુહૂર્તનો સ્થિતિબંધ થાય છે અને વેદનીયકર્મનો ૧૨ મુહૂર્તનો સ્થિતિબંધ થાય છે. છ કર્મોનો આ જ સ્થિતિબંધ સૌથી જઘન્યમાં જઘન્ય સ્થિતિબંધ કહેવાય છે. અહીં જ ૩ ઘાતી કર્મોનો જઘન્ય રસબંધ અને ૩ અઘાતી કર્મોની શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે. ઘાતી કર્મોની અંતર્મુહૂર્તની સ્થિતિસત્તા અને અઘાતી કર્મોની અસંખ્યાત વર્ષોની સ્થિતિસત્તા હોય છે. સંજવલન લોભનો જઘન્યમાં જઘન્ય રસોદય હોય છે. ત્યાર પછીના અનંતર સમયે આ ક્ષેપક મહાત્મા ક્ષીણમોહી બને છે. બારમા ગુણઠાણા ઉપર આરૂઢ થાય છે. ક્રોધના ઉદયે શ્રેણી માંડનાર માટે ઉપર મુજબ જાણવું. માનના ઉદયે શ્રેણી માંડનાર મહાત્મા ક્રોધનો સ્ત્રીવેદના ઉદયે શ્રેણી માંડનાર જીવ જે રીતે પુરુષ વેદનો ક્ષય કરે છે. તે રીતે પ્રથમ નાશ કરે છે. ત્યાર બાદ માન-માયા-લોભની જ (૩ + ૩ + ૩ = ૯) કિટ્ટીઓ કરે છે. આ જ પ્રમાણે માયાના ઉદયે શ્રેણી માંડનાર મહાત્મા પ્રથમ સ્ત્રીવેદના ઉદયે શ્રેણી માંડનાર જીવ જે રીતે પુરુષ વેદનો ક્ષય કરે છે. તે રીતે ક્રોધમાનનો નાશ કરે છે. પછી માયા-લોભની ૬ જ કિટ્ટીઓ કરે છે. લોભના ઉદયે શ્રેણી માંડનાર મહાત્મા ત્રણ કષાયોનો સ્ત્રીવેદના ઉદયે શ્રેણી માંડનાર જીવ જે રીતે પુરુષ વેદનો ક્ષય કરે છે. તે રીતે નાશ કરે છે અને માત્ર લોભની જ ૩ કિટ્ટીઓ કરે છે. હવે મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરીને બારમા ગુણઠાણે આવેલા જીવને ક્ષાયિક યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. કષાયોદય ન હોવાથી યોગપ્રત્યયિક સાતવેદનયના બંધ વિના બીજા કોઈ કર્મોનો બંધ થતો નથી. તથા સાતવેદનીયનો પણ જે બંધ થાય છે તેમાં કષાયોદય ન હોવાથી સ્થિતિબંધ અને રસબંધ થતો નથી. માત્ર પ્રતિબંધ અને પ્રદેશબંધ જ થાય છે. જે પ્રથમ સમયે બંધાય અને બીજા સમયે ઉદયમાં આવી ભોગવાઈને નાશ થાય છે. આવા પ્રકારના યોગ પ્રત્યયિક બંધને “ઈર્યાપથિક બંધ” કહેવાય છે. સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણી વગેરે કાર્યો ૩ ઘાતકર્મમાં અને ૩ અઘાતી કર્મમાં ચાલુ જ રહે છે. આમ સ્થિતિઘાતાદિ વડે કર્મોનો ક્ષય કરતા કરતા આ મહાત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy