SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૯-૮૦ ૨૭૫ શ્રેણી પ્રારંભે છે. તેઓ આ રીતે ૧૨ કિટ્ટી કરે છે. પરંતુ જો સંજ્વલન માનના ઉદય શ્રેણી પ્રારંભી હોય તો સ્ત્રીવેદના ઉદયે શ્રેણી આરંભનાર પુરુષવેદનો જે રીતે ક્ષય કરે છે તે પ્રમાણે પ્રથમ સંજ્વલન ક્રોધનો ક્ષય કર્યા પછી માન-માયા-અને લોભની ૯ કિટ્ટીઓ જ કરે છે. એ જ રીતે જો માયાના ઉદયે ક્ષપકશ્રેણી માંડી હોય તો સ્ત્રીવેદના ઉદયે શ્રેણી આરંભનાર પુરુષવેદનો જે રીતે ક્ષય કરે છે તે પ્રમાણે ક્રોધ-માનનો ક્ષય કર્યા પછી માયા-લોભની ૬ કિટ્ટીઓ જ કરે છે. અને જો લોભના ઉદયે ક્ષપકશ્રેણી પ્રારંભી હોય તો સ્ત્રીવેદના ઉદયે શ્રેણી આરંભનાર પુરુષવેદનો જે રીતે ક્ષય કરે છે તે પ્રમાણે ક્રોધ-માન-માયાનો ક્ષય કર્યા પછી માત્ર લોભની ૩ કિટ્ટીઓ જ કરે છે. કિટ્ટીકરણાદ્ધાના ચરમ સમયે સંજ્વલન ક્રોધાદિ ૪ કષાયોનો અંતર્મુહૂર્ત અધિક ૪ માસનો સ્થિતિબંધ હોય છે. અંતર્મુહૂર્ત અધિક આઠ વર્ષની સ્થિતિસત્તા હોય છે. તથા કિટ્ટીકરણાદ્ધાના ચરમસમયે ક્રોધનું પ્રથમ સ્થિતિની એક આવલિકામાં રહેલું પૂર્વ-અપૂર્વસ્પર્ધકોનું દલિક, અને ચારે કષાયોનો બંધ ચાલુ હોવાથી પ્રતિસમયે બંધાતું ચારે કષાયોનું છેલ્લા ૧ સમયન્યૂન બે આવલિકા કાળમાં બાંધેલું બીજી સ્થિતિમાં પડેલું કર્મદલિક, આમ પ્રથમ સ્થિતિગત ૧ આવલિકા પ્રમાણ, અને દ્વિતીય સ્થિતિગત ૧ સમયન્સૂન ૨ આવલિકા પ્રમાણ એમ બે પ્રકારના દલિકને મૂકીને બાકીનું ચાર કષાયોનું તમામ કર્મદલિક કિટ્ટીરૂપે પરિણામ પામી જાય છે. ચારે કષાયના બાકીના તમામ કર્મદલિકોની કિટ્ટીઓ થઈ જાય છે. ત્યારબાદ આ ક્ષપક મહાત્મા કિટ્ટીવેદનાદ્ધામાં પ્રવેશ કરે છે. કિટ્ટીવેદનાદ્ધામાં પ્રવેશેલો આ જીવ સંજ્વલન ક્રોધની બીજી સ્થિતિમાં રહેલી ત્રણ કિટ્ટીઓમાંથી સૌથી પ્રથમ પહેલી કિટ્ટીમાં જે કર્મદલિક છે. તેને અપવર્તના કરણ વડે આકર્ષીને સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિરૂપે કરે છે. અને વેદે છે. તે કિટ્ટીવેદનાદ્વા કહેવાય છે. આ કિટ્ટીવેદનાદ્ધાના પ્રથમ સમયથી જ આ કિટ્ટીઓનો ઉદય-ઉદીરણા અને આગાલ શરૂ થઈ જાય છે. તથા કિટ્ટીવેદનાદ્ધાથી પૂર્વકાલમાં એટલે કે કિટ્ટીકરણાદ્ધામાં પ્રથમ સ્થિતિમાં જે એક આવલિકા પ્રમાણ દલિક બાકી રહ્યું હતું. (કે જેની કિટ્ટીઓ કરી ન હતી) તે એક આવલિકા પ્રમાણ કર્મદલિકોને કિટ્ટીરૂપે પરિણમાવીને, બીજી સ્થિતિમાંથી પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ અને ઉદયમાં આવેલ . પ્રથમ કિટ્ટીકૃત કર્મદલિકોમાં જ સ્તિબૂક સંક્રમથી સંક્રમાવે છે અને તેની સાથે ભોગવીને તે પ્રથમ સ્થિતિગત આવલિકા પ્રમાણ કર્મદલિકોનો નિકાલ કરે છે. તથા કિટ્ટિકરણાદ્વાના છેલ્લા કાલે બાંધેલું અને બીજી સ્થિતિમાં પડી રહેલું ૧ સમયન્યૂન બે આવલિકા કાલ પ્રમાણ જે કર્મદલિક છે. તેને પણ કિટ્ટીવેદનાદ્ધાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy