SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ગાથા : ૭૯-૮૦ છઠ્ઠો કર્મગ્રંથ અશ્વકર્ણકરણોદ્ધા નામના પ્રથમ ભાગમાં વર્તતા આ ક્ષેપક મહાત્મા સંજવલન ક્રોધ-માન-માયા અને લોભ આ ચારે કષાયોનું બીજી સ્થિતિમાં જે કર્મલિક છે. અને તેમાં પૂર્વે બાંધેલો જે રસ છે. તેના સ્પર્ધકોને અનંતગુણહીન અનંતગુણહીન રસ કરવા વડે, વર્ગણાઓ અને સ્પર્ધકોની એકોત્તર વૃદ્ધિના ક્રમને તોડ્યા વિના અપૂર્વસ્પર્ધકો કરે છે. (જેનું સ્વરૂપ ઉપશમશ્રેણીમાં કહેલા સંજ્વલન લોભની જેમ જાણવું.) તે અપૂર્વસ્પર્ધકો કરતાં કરતાં જ, નવમાના બીજા ભાગના પ્રારંભના ૧ સમયજૂન ૨ આવલિકા કાલમાં પુરુષવેદ ગુણસંક્રમ દ્વારા અને ચરમસમયે સર્વસંક્રમ દ્વારા સંપૂર્ણપણે વચ્ચે જ ક્ષણ થઈ જાય છે. એટલે મોહનીયની ૪ ની સત્તા થાય છે. આ પ્રમાણે એક અંતર્મુહૂર્તકાલે અશ્વકર્ણકરણાદ્વાનો કાલ અને અપૂર્વ સ્પર્ધકોનું બનાવવું સમાપ્ત થાય છે. આ અનંતગુણહીન રસવાળાં અપૂર્વસ્પર્ધકો બનાવ્યાં છે. તેથી હીન રસવાળાં થયેલાં તે સ્પર્ધકોમાંથી હવે પછીના કાલમાં તેની કિટ્ટીઓ કરવી સરળ પડે છે. એટલે પ્રથમ અપૂર્વસ્પર્ધકોનું વિધાન છે. હીન રસ કરેલાનો વધારે હીન રસ કરવો સુકર બને છે. અશ્વકર્ણકરણાદ્ધાનો અંતર્મુહૂર્ત કાલ સમાપ્ત થયા પછી તેમાં અનંત ગુણ હીન રસવાળાં અપૂર્વસ્પર્ધકો બનાવ્યા બાદ આ ક્ષેપક મહાત્મા કિટ્ટીકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. અને ચારે સંજ્વલન કષાયોના, બીજી સ્થિતિમાં રહેલા કર્મદલિકની, એટલે કે અપૂર્વસ્પર્ધકો જેનાં થયેલાં છે. તેવા કર્મદલિકોની તેમાંથી પણ અનંતગુણો-અનંતગુણો રસ હણીને, વર્ગણાઓનો એકોત્તરવૃદ્ધિનો ક્રમ તોડીને અનંતી અવંતી કિટ્ટીઓ કરે છે. જેમ સોપારી અથવા ગંઠોડાનો અખંડ ટુકડો ખાવો મુશ્કેલ બને, પણ તેનો ચૂરો કર્યો હોય તો સુખે સુખે ખાઈ શકાય છે. તેમ જે જે કર્મ પરમાણુઓમાં અનંતગુણો અનંતગુણો રસ હોય છે. તેનો સીધેસીધો ઘાત કરવો ઘણો જ મુશ્કેલ બને છે. તે માટે તેમાંથી અનંતગુણહીન-અનંતગુણહીન રસ કરીને અશ્વકર્ણકરણાદ્ધામાં વર્ગણાઓનો એકોત્તરવૃદ્ધિક્રમ તોડ્યા વિના અપૂર્વસ્પર્ધકો કરે છે. આ અપૂર્વસ્પર્ધકો અનંતગુણહીન રસવાળાં બનેલાં હોવાથી તેમાંથી રસઘાત કરીને કિટ્ટીઓ કરવી સરળ બને છે. તે માટે કિટ્ટીકરણોદ્ધામાં તેવી કિટ્ટીઓ કરે છે. આ રીતે એકોત્તરવૃદ્ધિનો ક્રમ તુટી જવાથી તે કર્મપરમાણુઓનું જે સંગઠિત બળ હતું તે નાશ પામવાથી, વિખરાઈ ગયેલા શત્રુરાજાના સૈન્યને જીતવું જેમ સરળ પડે તેમ છુટા છુટા પડેલા આ કર્મસ્કંધોને હવે સ્પર્ધક ન કહેતાં કિટ્ટીઓ કહેવાય છે. અને તે કિટ્ટીઓ અત્યન્ત બલહીન બનેલી હોવાથી આ જીવ સુખે સુખે તેનો મૂલથી ક્ષય કરી શકે છે. ચારે સંજ્વલન કષાયની કરાયેલી આ કિટ્ટીઓ તત્ત્વતઃ જોકે અતી થાય છે. તો પણ જૈન શાસ્ત્રોમાં તેને સમજવા માટે ત્રણ ત્રણ ભાગમાં કલ્પવામાં આવે છે. તેથી ચાર કષાયોની ૪ ૪ ૩ = ૧૨ કિટ્ટીઓ કહેવાય છે. જે જીવો સંજ્વલન ક્રોધના ઉદયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy