SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ટો કર્મગ્રંથ ગાથા : ૭૯-૮૦ ૨૭૩ વડે સંક્રમાવી દે છે. એટલે બંધ-ઉદયના વિચ્છેદ પછી ૧ સમયન્યૂન ૨ આવલિકા કાળે પુરુષવેદ પણ સત્તામાંથી સર્વથા ક્ષય થાય છે. જ્યાં સુધી પુરુષવેદ ક્ષય ન પામે ત્યાં સુધી ચારના બંધે પાંચની સત્તા, અને પુરુષવેદ જ્યારે ક્ષય પામે ત્યારે આ જીવ ચારના બંધે એકના ઉદયે સં. ચાર કષાયની સત્તાવાળો બને છે. આ પુરુષવેદના ઉદયે શ્રેણી માંડનારને આશ્રયી જાણવું. જો સ્ત્રીવેદના ઉદયે શ્રેણી માંડી હોય તો ૧૩ ની સત્તામાંથી પ્રથમ નપુંસકવેદનો ક્ષય થતાં ૧૨ ની સત્તા પાંચના બંધે નવમાના પ્રથમ ભાગે હોય છે. ત્યાર બાદ અંતર્મુહૂર્તકાલે સ્રીવેદનો સંપૂર્ણ ક્ષય થાય છે. તે જ સમયે પુરુષવેદનો બંધ અટકી જાય છે. (પુરુષવેદનાં ઉદય-ઉદીરણા તો છે જ નહીં. કારણ કે હાલ સ્ત્રીવેદનો ઉદય ચાલે છે) ત્યારે બંધ ચાર સંજ્વલન કષાયનો અને સત્તા ૧૧ની થાય છે. ત્યાર બાદ ૧ સમયન્યૂન ૨ આવલિકા કાલે હાસ્યષટ્ક અને પુરુષવેદ એમ સાતે પ્રકૃતિઓનો ક્ષય એકી સાથે જ કરે છે. તેથી નવમાના બીજા ભાગે સમયન્સૂન ૨ આવલિકા કાલ સુધી ૪ નો બંધ, ૧ નો ઉદય અને ૧૧ ની સત્તા અને ત્યારબાદ ૪ નો બંધ, ૧ નો ઉદય અને ૪ ની સત્તા જાણવી. જો નપુંસકવેદના ઉદયે શ્રેણી પ્રારંભી હોય તો ૧૩ ની સત્તામાંથી નપુંસકવેદ અને સ્ત્રીવેદ બન્નેનો એકી સાથે જ ક્ષય કરે છે. તે જ સમયે પુરુષવેદનો બંધ વિચ્છેદ થાય છે. નવમાનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે. તેથી ચારના બંધે એકના ઉદયે ૧૧ની સત્તા રહે છે. અને ૧ સમયન્સૂન ૨ આવલિકા કાલ જાય ત્યારે હાસ્યષટ્ક અને પુરુષવેદ એમ સાતે કર્મપ્રકૃતિઓનો આ જીવ એકી સાથે જ ક્ષય કરે છે. ત્યારે ચારના બંધે એકના ઉદયે ચાર સંજ્વલન કષાયની જ સત્તા રહે છે. જુદા જુદા ત્રણે વેદના ઉદયે શ્રેણી માંડનારા ત્રણે જીવોને પુરુષવેદના બંધવિચ્છેદ પછી ૧ સમયન્સૂન ૨ આવલિકા કાલ ગયા પછી ૪ નો બંધ, ૧ નો ઉદય અને ૪ ની સત્તા થઈ જાય છે. જ્યારે નવમા ગુણસ્થાનકનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે. ત્યારે પુરુષ વેદના ઉદયે શ્રેણી માંડનારને પુરુષવેદના બંધ-ઉદય વિચ્છેદ પામે છે. ત્યારબાદ બીજા ભાગના પ્રથમ સમયથી સંજ્વલન ક્રોધાદિ ચાર કષાયમાંથી કોઈ પણ એક કષાયનો ઉદય પ્રવર્તે છે. તેમાં જો સંજ્વલન ક્રોધનો ઉદય વર્તતો હોય તો તે ક્રોધને વેદવાના કાલના ત્રણ ભાગ કરે છે (૧) અશ્વકર્ણકરણાદ્ધા, (૨) કિટ્ટીકરણાદ્ધા, (૩) અને કિટ્ટીવેદનાદ્વા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy