SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ગાથા : ૭૯-૮૦ છઠ્ઠો કર્મગ્રંથ સ્ત્રીવેદનો ક્ષય થયા પછી હાસ્યાદિષક અને પુરુષવેદ એમ ૭ કર્મોનો તે ક્ષપક મહાત્મા ક્ષય કરવા લાગે છે. ત્યારથી હાસ્યષકનું બીજી સ્થિતિનું કર્મ દલિક ઉર્વલના અનુવિદ્ધ ગુણસંક્રમ વડે સ્વમાં અને પરમાં એમ બન્નેમાં નાખે છે. પરંતુ અહીં પરમાં એટલે સંજ્વલન ક્રોધાદિ ૪ કષાયમાં નાખે છે એમ સમજવું. પણ પુરુષવેદમાં નાખતો નથી અને પુરુષવેદની બીજી સ્થિતિનું કર્મદલિક ઉદૂવલના સંક્રમ વડે સ્વમાં, અને યથાપ્રવૃત્ત સંક્રમ વડે પરમાં (સં. ક્રોધાદિમાં) નાખે છે. કારણ કે પુરુષવેદ બધ્યમાન હોવાથી પુરુષવેદનો ગુણસંક્રમ થતો નથી. સાત નોકષાયોની ક્ષપણાના કાલનો સંખ્યાતમો ભાગ જાય ત્યારે નામ-ગોત્ર અને વેદનીય કર્મનો સ્થિતિબંધ પણ જે પહેલાં અસંખ્યાતા વર્ષનો હતો તે હવેથી સંખ્યાતા વર્ષ માત્રનો થાય છે અને નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન-સંખ્યાતગુણ હિન જ થાય છે. આ પ્રમાણે સાત નોકષાયોનો ક્ષય કરતાં કરતાં જ્યારે પુરુષવેદની પ્રથમ સ્થિતિ એ આવલિકા માત્ર બાકી રહે છે. ત્યારે પુરુષવેદનો આગાલ (બીજી સ્થિતિમાંથી ઉદીરણાકરણ વડે કર્મલિકોને આકર્ષીને પ્રથમ સ્થિતિમાં લાવવાં તે આગાલ) વિચ્છેદ પામે છે. અને જ્યારે પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે છે. ત્યારે, ઉદીરણા (પ્રથમ સ્થિતિમાંથી ઉદીરણાકરણ વડે આવલિકા બહારનાં દલિકો લાવીને ઉદયાવલિકામાં નાખવાં તે) પણ વિચ્છેદ પામે છે. અહીં પુરુષવેદ હવે એક આવલિકા માત્ર જ હોવાથી આવલિકા બહાર દલિકો ન હોવાથી ઉદીરણા થતી નથી તેથી હવે ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તે ઉદયાવલિકાના ચરમ સમયે હાસ્યષકનો સંપૂર્ણપણે ક્ષય થાય છે. વળી તે જ સમયે પુરુષવેદનો બંધ અને ઉદય એમ બને વિચ્છેદ પામે છે. તેથી ૧૧માંથી હાસ્યષકનો ક્ષય થવાથી મોહનીયકર્મની સત્તા પાંચની થાય છે. તે જ સમયે પુરુષવેદનો બંધ-ઉદય ચાલ્યો જવાથી મોહનીયનો ચારનો બંધ અને એકનો ઉદય શરૂ થાય છે. એટલે નવમા ગુણઠાણાના પાંચ ભાગમાંથી પહેલો ભાગ પૂર્ણ થાય છે અને બીજો ભાગ શરૂ થાય છે. બીજા ભાગના પ્રથમ સમયે આ જીવ અવેદક (વેદના ઉદય વિનાનો) થયો છતો મોહનીયના ચારનો બંધક, એક સંવલન કષાયનો વેદક અને પાંચની સત્તાવાળો બને છે. તે વખતે પુરુષવેદનું કર્મલિક બીજી સ્થિતિમાં પડેલું અને બંધવિચ્છેદના પૂર્વકાલમાં બાંધેલું માત્ર ૧ સમયજૂન ૨ આવલિકા જેટલું જ બાકી વર્તે છે. શેષ સર્વ કર્મદલિક ક્ષીણ થયેલું જાણવું. પુરુષવેદનું બાકી વધેલું આ ૧ સમયજૂન ૨ આવલિકા પ્રમાણે કર્મલિક સંજવલન ક્રોધનો ક્ષય કરતાં કરતાં સંજ્વલન ક્રોધમાં તેટલા જ કાલે ગુણસંક્રમ વડે અને ચરમસમયે સર્વસંક્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy