SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૯ છઠ્ઠો કર્મગ્રંથ ૧૫ ચારનો ઉદય, નવની સત્તા (૪-૪-૯) અને (૨) ચારનો બંધ, પાંચનો ઉદય, નવની સત્તા (૪-પ-૯) એમ બે ભાંગા ઉપશમશ્રેણી આશ્રયી ઘટે છે. અહીં એક વિશેષતા ખાસ તે જાણવા જેવી છે કે ક્ષપકશ્રેણીમાં આઠમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી બારમાં ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી કેટલાક આચાર્યો નિદ્રાનો ઉદય માને છે અને કેટલાક આચાર્યો નિદ્રાનો ઉદય માનતા નથી. તેથી નિદ્રાના ઉદયવાળા (એટલે કે પાંચના ઉદયવાળા) ભાંગા, નિદ્રાનો ઉદય ક્ષપકશ્રેણીમાં જેઓ માને છે તેઓના મતે ઘટે અને જેઓ નિદ્રાનો ઉદય ક્ષપકશ્રેણીમાં માનતા નથી તેઓના મતે નિદ્રાના ઉદયવાળા તે ભાંગા ત્યાં ન ઘટે. (આવો વિવેક આપણે સ્વયં કરવો.) પ્રાચીન કર્મસ્તવકારાદિ આચાર્યો, નવીનકર્મગ્રંથ બનાવનાર શ્રી દેવેન્દ્રસૂરિજી આદિ તથા પંચસંગ્રહકારાદિ ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય માને છે. "નિદ્દા પથના ય તા વીનવાિમ કવિ છેમો' (પ્રાચીન કર્મસ્તવ નામના બીજા કર્મગ્રંથની ૩૩મી ગાથા). પવિત્ર વીડુિરિ, નિદાંતો પવન્ના (અર્વાચીન કર્મસ્તવ નામનો બીજે કર્મગ્રંથ ગાથા ૨૦) મોજુરવીર રૂપિmત્ત રીતિનિત્સિા (પંચસંગ્રહ - ઉદીરણાકરણ ગાથા ૧૮/૧૯) પંચસંગ્રહના સપ્તતિકા પ્રકરણ ગાથા ૧૨માં નિદ્રાનો ઉદય બારમાના દ્વિચરમ સમય સુધી માનેલો છે. (છવડ ના રીપો) પરંતુ ચિરંતનાચાર્યકત “સિત્તરી' નામના ગ્રંથની ૮૯મી ગાથામાં તથા તેના ઉપર પ્રાચીનાચાર્યકત ચૂર્ણિમાં ક્ષપકશ્રેણીમાં નિદ્રાના ઉદયનો નિષેધ કરેલો છે. ચૂર્ણિમાં લખ્યું છે કે – “નાવિયુદ્ધ સંવિતિ વ નિદ્દો' તથા તેમાં લખ્યું छ 3 'खवगखीणकसायाणं निद्दापयलाणं उदओ अत्थि इइ अण्णे पढंति तं न પડ' પંચસંગ્રહના ત્રીજા ભાગ રૂપે જે “સપ્તતિકા પ્રકરણ છે તેમાં પણ ૧૪મી ગાથામાં પોતે ઉદય સ્વીકાર્યો નથી. બીજા કેટલાક ઉદય માને છે એમ કહ્યું છે. તે था ॥ प्रभाए। खवगे सुहुमंमि चउबंधंमि, अबंधगंमि खीणम्मि, छस्संतं चउरुदयो પંરવિ ૬ ફેષ્ઠતિ | ૨૪ || છઠ્ઠા કર્મગ્રંથકારે પણ નવમી દસમી ગાથાની રચના જોતાં નિદ્રાના ઉદયવાળા ભાંગા ક્ષપકશ્રેણી અને ક્ષીણમોહમાં લીધા નથી. એટલે અહીં બન્ને મતે વિવેચનમાં સમજાવીશું. પરંતુ મૂલગ્રંથકારને નિદ્રાના ઉદયવાળા ભાંગા ક્ષપકશ્રેણીમાં ઈષ્ટ નથી. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે દુનો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા (૬ - ૪ - ૯) આ ભાંગો ઉપશમશ્રેણીમાં અને ક્ષપકશ્રેણીમાં બધા જ આચાર્યોના મતે હોય છે. પરંતુ દુનો બંધ, પનો ઉદય, ૯ની સત્તા (૬-પ-૯) આ ભાંગો ઉપશમશ્રેણીમાં બન્ને આચાર્યોના મતે હોય છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય માનનારાના મતે ઘટે છે. નિદ્રાનો ઉદય ન માનનારાના મતે આ ભાંગો સંભવતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy