SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગાથા : ૯ છટ્ટો કર્મગ્રંથ બીજા કર્મગ્રંથના અભ્યાસના આધારે સુગમ છે. છઠ્ઠા કર્મગ્રંથનો અભ્યાસ કરતી વખતે ૧ થી ૫ કર્મગ્રંથોનો અભ્યાસ અત્યન્ત સ્મૃતિગોચર રાખવો. તો જ આ કર્મગ્રંથનો અભ્યાસ સરળ બને છે. ।। ૮ ।। અવતરણ - હવે દર્શનાવરણીય કર્મનો સંવેધ કહે છે. बीयावरणे नवबंधएसु, चउ पंच उदय नव संता । छच्चउ बंधे चेवं, चउ बंधुदए छलंसा य ।। द्वितीयावरणे नवबन्धकेषु चत्वारः पञ्चोदयाः नव सन्तः । ષતુન્થે ચૈવ, વતમૂળા (પ્રવૃતીનાં) વન્યોચે ષડંશાજી || ↑ ગાથાર્થ - બીજા દર્શનાવરણીય કર્મમાં નવના બંધમાં ચાર અથવા પાંચ પ્રકૃતિઓનો ઉદય અને નવની સત્તા હોય છે તથા છના બંધમાં અને ચારના બંધમાં પણ તેમ જ હોય છે તથા ચારના બંધે ચારના ઉદયે છની સત્તા પણ હોય છે. (આગળ સંબંધ ચાલુ). ।૯।। વિવેચન - દર્શનાવરણીય નામના બીજા કર્મમાં નવનો બંધ મિથ્યાત્વે અને સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. ધ્રુવબંધી હોવાથી નવે નવ પ્રકૃતિઓ અવશ્ય બંધાય છે. બીજા ગુણસ્થાનકથી આગળ થીણદ્વિત્રિકનો બંધ ન હોવાથી નવનું આ બંધસ્થાનક પ્રથમનાં માત્ર બે જ ગુણસ્થાનકોમાં ઘટે છે. ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર પ્રકૃતિઓ, ધ્રુવોદયી હોવાથી ચારનું ઉદયસ્થાનક (નિદ્રાના ઉદયકાલ વિના) સર્વકાલે હોય છે. પરંતુ નિદ્રાપંચક અધ્રુવોદયી હોવાથી ક્યારેક કોઇ એક નિદ્રા ઉદયમાં આવે છે અને ક્યારેક એકે નિદ્રા ઉદયમાં આવતી નથી. તેથી ૪નું અને પનું એમ બે ઉદયસ્થાનક હોય છે તથા સત્તા નવે પ્રકૃતિની પ્રથમનાં બે ગુણસ્થાનકોમાં અવશ્ય હોય છે. કારણ કે ધ્રુવબંધી હોવાથી નવે બંધાય છે. માટે નવે સત્તામાં હોય જ છે. આ રીતે વિચારતાં પહેલા - બીજા ગુણસ્થાનકે નવના બંધવાળા બે ભાંગા થાય છે. (૧) નવનો બંધ, ચારનો ઉદય, નવની સત્તા (૯-૪-૯) અને (૨) નવનો બંધ, પાંચનો ઉદય, નવની સત્તા (૯-૫-૯). પહેલો ભાંગો નિદ્રાના અનુદય કાલે હોય છે અને બીજો ભાંગો નિદ્રાના ઉદયકાલે હોય છે. ‘જીન્નતબંધે ચેવ’ છના બંધે અને ચારના બંધે પણ આમ જ કહેવું. એટલે કે મિશ્ર ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી (૧) છનો બંધ, ચારનો ઉદય, નવની સત્તા (૬-૪-૯) તથા (૨) છનો બંધ, પાંચનો ઉદય, નવની સત્તા (૬-૫-૯) આમ બે ભાંગા છના બંધે થાય છે. તેવી જ રીતે આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી (૧) ચારનો બંધ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy