SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૫ ૨૪૯ આ પ્રમાણે પહેલી સ્થિતિ નાની-મોટી હોવાથી તેના ઉપરથી શરૂ થતું અંતરકરણ પણ અંતર્મુહૂર્તકાલનું હોવા છતાં પણ નીચેના ભાગથી (પ્રથમ સ્થિતિ તરફના ભાગથી) વિષમ અને ઉપરના ભાગથી (બીજી સ્થિતિ તરફના ભાગથી) સમ કરે છે. તેનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છે - પ્રથમ સ્થિતિ અંતરકરણ ૧૯ અનુદયવતી ૦૦૦ ઉદયવતી નપુંસકવેદ 0િ00o. ઉદયવતી સ્ત્રીવેદ ૦િ૦૦૦૦] ઉદયવતી પુરુષવેદ ૦િ૦૦૦૦૦ ઉદયવતી સં. ક્રોધ ૦િ૦૦૦૦૦૦| ઉદયવતી સં. માન [oo૦૦૦૦૦૦| ઉદયવતી સં. માયા ૦િ૦૦૦૦૦૦૦૦) ઉદયવતી સં. લોભ ૦િ૦૦૦૦૦૦૦૦૦ ચિત્રમાં પહેલી સ્થિતિ જેની નાની તેનું અંતરકરણ મોટું અને પહેલી સ્થિતિ જેની મોટી તેનું અંતરકરણ નાનું. આમ પહેલી સ્થિતિ તરફથી અંતરકરણ વિષમ બને છે. પહેલી સ્થિતિમાં જે બિંદુઓ મુક્યાં છે તે નિષેકરચનાના સમયો જાણવા. આ ચિત્ર અનેક જીવો આશ્રયી સમજવું. કારણ કે એક જીવને તો એક જ વેદ અને એક જ કષાય ઉદયમાં હોય છે. તેથી ૩ વેદ અને સંજ્વલન ૪ કષાય એમ ૭ ની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ એક જીવને હોતી નથી. અહીં સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધ આ બને, અત્તરકરણની સાથે કાલથી તુલ્ય કરે છે. અર્થાત્ આ ત્રણે સાથે જ શરૂ થાય છે અને ત્રણે સાથે જ સમાપ્ત થાય છે. અંતરકરણના કાલમાં રસઘાત હજારો થઈ જાય છે. આ રીતે ઉદયવતી ૧ વેદ અને ૧ કષાયની પ્રથમ સ્થિતિ સ્વોદયથી અનુભવીને પૂર્ણ કરે છે અને અનુદયવતી ૧૯ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ, ઉદયવતીમાં સિબૂક સંક્રમ વડે સંક્રમાવીને સમાપ્ત કરે છે. હવે અંતરકરણવાળી અંતર્મુહૂર્તની સ્થિતિમાં જે નિષેકરચના થયેલી છે તે કર્મદલિકને ત્યાંથી ઉંચકીને ક્યાં નાખે ? તે સમજાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy