SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ગાથા : ૩૮ છઠ્ઠો કર્મગ્રંથ વિવેચન - સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા વિનાના સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય આદિ ૧૩ જીવસ્થાનકોમાં દર્શનાવરણીયકર્મના ૨ ભાંગા હોય છે. (૧) નવનો બંધ, ચારનો ઉદય અને નવની સત્તા, તથા (૨) નવનો બંધ, પાંચનો ઉદય, અને નવની સત્તા. કારણ કે સર્વે કર્મોના સંવેધમાં પર્યાપ્તા કે અપર્યાપ્તા જે લેવાય છે તે સર્વે જીવભેદો લબ્ધિને આશ્રયી જ લેવાય છે. કારણ કે તેવા જીવોને વિગ્રહગતિથી જ પર્યાપ્ત અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે. કરણ પર્યાપ્તા અને કરણ અપર્યાપ્તાને આશ્રયી પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોતો નથી. જેમકે કરણ અપર્યાપ્તો ભલે હોય (પર્યાયિઓ પૂર્ણ ભલે ન કરી હોય) તો પણ લબ્ધિ પર્યાપ્તાને પર્યાપ્ત નામકર્મ જ ઉદયમાં હોય છે. આવા પ્રકારના લબ્ધિ અપર્યાપ્તા ૭ જીવસ્થાનકમાં માત્ર પહેલું ગુણસ્થાનક અને લબ્ધિપર્યાપ્ત ૬ જીવસ્થાનકમાં પહેલું અને બીજું એમ બે ગુણસ્થાનક હોય છે. માટે દર્શનાવરણીય કર્મના નવના બંધે ચાર અથવા પાંચના ઉદયવાળા અને નવની સત્તાવાળા બે જ ભાંગા હોય છે. (જો કરણ અપર્યાપ્તા લઈએ તો આ તેર જીવસ્થાનકમાંથી સંજ્ઞી પં. અપર્યાપ્તામાં ચોથું ગુણસ્થાનક પણ હોવાથી છના બંધના પણ ૨ ભાંગા હોઈ શકે છે પણ અહીં લબ્ધિ અપર્યાપ્તાની જ વિવક્ષા છે તેથી ૬ના બંધના ભાંગા લીધા નથી). હવે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વે ગુણસ્થાનક હોવાથી પૂર્વે જણાવ્યા પ્રમાણે દર્શનાવરણીય કર્મના અગિયારે ભાંગ ઘટી શકે છે. ગ્રંથકારશ્રી ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય માનતા નથી તેથી મૂલગાથામાં ૧૧ ભાંગા હોવાનું કથન કરેલ છે. જે આચાર્યો ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય માને છે તેઓના મતે સંજ્ઞી. પં. પર્યાપ્તામાં ૧૩ ભાંગા દર્શનાવરણીયકર્મના હોય છે. એમ પણ જાણવું. - હવે વેદનીય-આયુષ્ય-અને ગોત્રકર્મ કહીને પછી મોહનીયકર્મ કહીશું. (હવે આવતી બે ગાથા મૂલ સપ્તતિકા ગ્રંથની નથી). / ૩૭ | पज्जत्तगसन्नियरे, अट्ट चउक्कं च वेयणीयभंगा । सत्त य तिगं च गोए, पत्तेअं जीवठाणेसु ।। ३८ ।। . (નીવડાપ, વત્તા પાઠાન્તર) पर्याप्तकसंज्ञीतरयोः, अष्ट चत्वारश्च वेदनीयभङ्गाः । सप्त च त्रिकञ्च गोत्रे, प्रत्येकं जीवस्थानेषु ।। ३८ ।। (નવસ્થાનેy apવ્યા:) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy