SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૩૮ ગાથાર્થ - પર્યાપ્તા સંશી પંચેન્દ્રિયમાં, અને ઇતર (બાકીનાં) ૧૩ જીવસ્થાનકોમાં વેદનીયકર્મના અનુક્રમે આઠ અને ચાર ભાંગા હોય છે તથા ગોત્રકર્મના અનુક્રમે સાત અને ત્રણ ભાંગા હોય છે. ।। ૩૮ ॥ વિવેચન આ ગાથા મૂલસાતિકાની નથી. પરંતુ ભાષ્યાદિ કોઈ અન્ય ગ્રંથની છે. ચૂર્ણિમાં કહ્યું છે કે - તત્ત્વ યેયખિય-ગોત્તાનું મંગનિવસ્ત્યમન્તમાંથા પૂ. મલયગિરિજી મ. શ્રીની ટીકામાં પણ કહ્યું છે કે - “તત્રેયં વેવનીય નોત્રયોવિંધત્વનિરૂપાર્થમન્તમ વ્યથા” પરંતુ “સપ્તતિકા ભાષ્ય” ની ૧૯૧ ગાથાઓ છે. તે સઘળી ગાથાઓ જોવા છતાં તેમાં અમને મળી નથી. માટે અન્ય કોઈ ગ્રંથમાં કોઈ અન્ય ગ્રન્થકર્તાની બનાવેલી આ ગાથા અહીં પ્રક્ષિપ્ત કરેલી હોય એમ લાગે છે. - પર્યાપ્તા સંશી પંચેન્દ્રિયને સર્વે ગુણસ્થાનક છે. અને બાકીના તેર જીવસ્થાનકોને (લબ્ધિ અપર્યાપ્તા-પર્યાપ્તા લેવાના કારણે) માત્ર પહેલું અને બીજું ગુણસ્થાનક છે. વેદનીયકર્મના કુલ ૮ ભાંગા થાય છે. જે પહેલાં ગાથા-૧૧ માં સમજાવ્યા છે. સંશી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વે ગુણસ્થાનક હોવાથી વેદનીયકર્મના આઠે આઠ ભાંગા હોઈ શકે છે. અહીં તેરમા ગુણઠાણાવાળા કેવલી ભગવાન દ્રવ્યમનવાળા હોવાથી અને ચૌદમા ગુણઠાણાવાળા ભગવંતો ભૂતકાળમાં મનવાળા હતા એથી ઉપચાર કરીને તેઓની સંજ્ઞી તરીકે વિવક્ષા કરી છે. આ વિવક્ષા લઈએ તો જ વેદનીય કર્મના છેલ્લા ચાર ભાંગા સંજ્ઞીમાં ઘટે. અન્યથા તો પ્રથમના ચાર જ ભાંગા ઘટે. નંબર બંધ ઉદય સત્તા ૧ અસાતા અસાતા બન્ને ર ૩ ૪ ૫ ૬ ૭ Jain Education International અસાતા સાતા બન્ને સાતા અસાતા બન્ને સાતા સાતા બન્ને ° અસાતા બન્ને ૦ સાતા બન્ને અસાતા અસાતા ૧૨૭ ક્યાંથી ક્યાં સુધી આ ભાંગો ૧ થી ૬ ગુણ. સુધી આ ભાંગો ૧ થી ૬ ગુણ. સુધી આ ભાંગો ૧ થી ૧૩ ગુણ. સુધી આ ભાંગો ૧ થી ૧૩ ગુણ. સુધી ૧૪માના આદ્યસમયથી દ્વિચરમસમય સુધી ૧૪માના આદ્યસમયથી દ્વિચરમસમય સુધી ૧૪ માના ચરમસમયે માત્ર ૧૪ માના ચરમસમયે માત્ર ८ ૦ સાતા સાતા સંશી પંચેન્દ્રિય પર્યામા વિનાના બાકીના ૧૩ જીવસ્થાનકોમાં માત્ર પહેલું અને બીજું જ ગુણસ્થાનક હોવાથી ઉપરોક્ત ૮ માંથી પ્રથમના ૪ ભાંગા જ હોય છે. છેલ્લા ચાર અબંધવાળા ભાંગા ત્યાં સંભવતા નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy