SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ ગાથા : ૧૫ પાંચમો કર્મગ્રંથ હવે પુણય - પાપ પ્રકૃતિદ્વાર સમજાવે છે - सुरनरतिगुच्चसायं, तसदसतणुवंगवइरचउरंसं। परघासग तिरियाऊ, वन्नचउपणिंदिसुहखगई।। १५॥ (सुरनरत्रिकोच्चैस्सातानि, त्रसदशकतनूपांगवज्रचतुरस्राणि। पराघातसप्तकं तिर्यगायुः, वर्णचतुष्कपञ्चेन्द्रियशुभखगतयः ।।१५ ॥) સુરનરતિ = દેવનું ત્રિક અને મનુષ્યનું ત્રિક, ૩ = ઉચ્ચગોત્ર, સાયંસાતા વેદનીય, તરસ = ત્રસનું દશક, તદુવંગ = પાંચ શરીર અને ત્રણ ઉપાંગવેફર = વજઋષભનારાય, ર૩ = સમચતુરસ, પરાસ = પરાઘાતસતક, તિરિયા = તિર્યંચનું આયુષ્ય, વનર૩ = વર્ણ ચતુષ્ક, પદ્ધિ = પંચેન્દ્રિય જાતિ, સુદgયારું = શુભવિહાયોગતિ. | ૧૫ // ગાથાર્થ = દેવત્રિક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર, સાતાવેદનીય, ત્રસદશક, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, વજૂઋષભનારાય, સમચતુરસ, પરાઘાતસમક, તિર્યગાયુ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિય જાતિ અને શુભ વિહાયોગતિ એમ ૪૨ પુણ્યપ્રકૃતિઓ જાણવી. / ૧૫ / વિવેચન = જે કર્મના ઉદયકાળે જીવને સુખ ઉપજે, સાનુકૂળતા પ્રાપ્ત થાય, સાંસારિક સુખની સામગ્રી મળે તથા ધર્મની સામગ્રી મળે તેવા કર્મોને પુણ્યકર્મ કહેવાય છે. અને જે કર્મના ઉદયકાળે જીવને દુ:ખ ઉપજે, પ્રતિકૂળતા પ્રાપ્ત થાય, દુઃખની સામગ્રી મળે, ધર્મની સામગ્રી ન મળે તેવા કર્મોને પાપકર્મ કહેવાય છે. પુણ્યકર્મની ૪૨ પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે – મૂલગાથામાં લખેલો તિન શબ્દ સુર અને નર એમ બન્નેની સાથે જોડવો જેથી સુરત્રિક (દેવગતિ, દેવાનુપૂર્વી, અને દેવાયુષ્ય). મનુષ્યત્રિક (મનુષ્યગતિ-મનુષ્યની આનુપૂર્વી અને મનુષ્યનું આયુષ્ય). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy