SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ ઉત્તર આ બે આવારક કર્મો જીવના જ્ઞાનગુણને સર્વથા આવૃત કરવા સમર્થ જ છે. તેથી સર્વઘાતી જ છે. પરંતુ જીવનો સ્વભાવ એવો છે કે પોતાનો જ્ઞાનગુણ સર્વથા આવૃત થાય જ નહીં. તેથી અક્ષરનો અનંતમો ભાગ સર્વે જીવોને નિત્ય ઉઘાડો (અનાવૃત) જ રહે છે. ગાથા : ૧૩-૧૪ = પ્રશ્ન જો જ્ઞાનગુણ સર્વથા ન ઢંકાય તો આ બે કર્મોને સર્વઘાતી કેમ કહેવાય ? - ઉત્તર જેમ અતિશય ગાઢ મેઘઘટા દ્વારા સૂર્ય-ચંદ્રની પ્રભા લગભગ ઘણી ખરી આવૃત થઈ ગઈ હોય, ચારે તરફ અંધકારનાં પટલો છવાયાં હોય, તો પણ અમાવાસ્યાની મધ્યરાત્રિ સમાન અંધકાર થતો જ નથી. અન્યથા દિવસ-રાત્રિનો ભેદ જ સંસારમાં ન રહે. તેથી યત્કિંચિત્ પ્રભા અનાવૃત રહે જ છે. જેના લીધે દિવસરાત્રિના ભેદનો વ્યવહાર થાય છે. આમ હોવા છતાં પણ સૂર્ય ચંદ્રનો પ્રકાશ સર્વથા ઢંકાઈ ગયો” એવી જ વચનરચના જગતમાં પ્રવર્તે છે. તથા સર્વ લોકોને અનુભવ પણ તેવો જ થાય છે. તેવી જ રીતે જ્ઞાન અને દર્શન આ બન્ને ગુણોનો અનન્તમો ભાગ જીવના સ્વભાવે જ અનાવૃત હોવા છતાં પણ બહુ ઘણો ભાગ આવૃત થઈ જતો હોવાથી “સર્વથા ઘાત થઈ ગયો” એમ જ કહેવાય છે. તેથી આ બે કર્મો સર્વઘાતી કહેવાય છે. Jain Education International ૫૧ = સારાંશ કે આ બન્ને આવાક કર્મો સર્વઘાતી હોવાથી સર્વથા આવૃત કરવા સમર્થ હોવા છતાં જીવના પોતાના સ્વભાવના કારણે આ બે ગુણો સર્વથા આવૃત થતા નથી. અક્ષરનો અનંતમો ભાગ અનાવૃત જ રહે છે. તથા જેમ સૂર્ય-ચંદ્રની મૂળ પ્રભાને મેઘઘટા આવૃત કરે છે. અને જગત્સ્વભાવે તેની અનાવૃત રહેલી યત્કિંચિત્ પ્રભાને કટ-કુટ્યાદિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy