SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ મૂલકર્મોમાં ભાગની પ્રરૂપણા કરીને હવે ઉત્તરપ્રકૃતિઓમાં ભાગપ્રરૂપણા ગાથા : ૮૧ સમજાવે છે. नियजाइलद्धदलियाणंतंसो होइ सव्वघाईणं । વાંતીનું વિમન, સેલ્લું સેમાળ પસમયે ॥ ૮॥ (निजजातिलब्धदलिकानन्तांशो भवति सर्वघातिनीनाम् । बध्यमानानां विभज्यते शेषं शेषाणां प्रतिसमयम् ॥ ८१ ॥ ) નિયજ્ઞાનદ્ધ = પોતાની મૂલજાતિ દ્વારા પ્રાપ્ત થયેલો, વૃત્તિયાળસંશો= દલિકોનો અનંતમો ભાગ, ઢોરૂ સવ્વયાર્ફનું સર્વધાતીનો હોય છે, વાંતીનું આપે છે, સેફં બંધાતી એવી, વિમફ બાકીનું દલિક, સેમાળ = બાકીની પ્રકૃતિઓને, પસમયે = દરેક સમયોમાં ૫૮૧૫ = Jain Education International = ગાથાર્થ - પોતાની મૂલજાતિથી (મૂલકર્મથી) પ્રાપ્ત થયેલો દલિકોનો અનંતમો ભાગ સર્વઘાતી કર્મોનો હોય છે. બાકીનું લિક બંધાતી એવી બાકીની પ્રકૃતિઓને પ્રતિસમયે અપાય છે. ૫૮૧૫ - ૩૪૩ = વિવેચન જીવ જ્યારે આઠ કર્મ બાંધે છે ત્યારે ગ્રહણ કરાતી કાર્યણવર્ગણાના આઠ ભાગ પાડે છે. એવી જ રીતે સાત કર્મ બાંધે ત્યારે સાત, છ કર્મ બાંધે ત્યારે છ અને એક કર્મ બાંધે ત્યારે એક ભાગ પાડે છે. તેની અંદર ચાર ઘાતીકર્મોના ભાગમાં જે જે હિસ્સો આવે છે. તે ચારે કર્મોમાં આવેલા પોત પોતાના ભાગમાં સર્વઘાતી પ્રકૃતિઓને યોગ્ય સર્વઘાતી રસસ્પર્ધકોવાળો અનંતમો ભાગ હોય છે. અત્યન્ત સ્નિગ્ધ પરમાણુઓ જ સર્વઘાતી રૂપે વેદાય તેવા રસસ્પર્ધકોને માટે ઉપયોગી હોય છે અને તેવા અત્યન્ત સ્નિગ્ધ પરમાણુઓ અનન્તમા ભાગ જેટલા જ હોય છે. તેથી અનન્તમા ભાગ પ્રમાણ અત્યન્ત સ્નિગ્ધ પરમાણુઓ સર્વઘાતી રસસ્પર્ધકયુક્ત હોવાથી તે કાળે બંધાતી એવી સર્વઘાતી પ્રકૃતિઓને અપાય છે અને ચારઘાતી કર્મોનું શેષ જે દલિક રહ્યું તે દલિક તે કાળે બંધાતી એવી દેશઘાતી પ્રકૃતિઓને અપાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy