SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩) પાંચમો કર્મગ્રંથ ગાથા : ૭૭ ભાગના ગુણાકાર તુલ્ય થાય છે તથા સર્વ ગ્ર. પ્રા. વર્ગણાઓમાં જઘન્ય ગ્રહણ પ્રાયોગ્ય વગર્ણનો પોતાનો અનંતમો ભાગ ઉમેરીએ તો ગ્રહણ પ્રાયોગ્ય જયેષ્ઠવર્ગણા થાય છે. પાછલા વિવેચન - આ ગાથાનો ભાવાર્થ લગભગ પૂર્વની ગાથામાં આવી ગયેલ છે. આ ગાથામાં મુખ્યત્વે બે વાત સમજાવી છે. (૧) આઠે પ્રકારની અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓમાં જઘન્ય વર્ગણાના એક એક સ્કંધમાં કેટલું ઉમેરીએ તો અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય. અને (૨) આ જ આઠ પ્રકારની ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓમાં જઘન્યવર્ગણાના એક એક સ્કંધમાં કેટલું ઉમેરીએ તો ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણા થાય. આ બે વાત ક્રમશઃ આ ગાથામાં છે. પ્રથમ બાબતનો ખુલાસો કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે અગ્રહણ પ્રાયોગ્ય જે આ આઠ વર્ગણાઓ છે કે જે ગ્રહણપ્રાયોગ્ય વર્ગણાઓની આંતરામાં વચ્ચે વચ્ચે થાય છે. તે સર્વે અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણામાં જઘન્યથી ઉત્કૃષ્ટ જો જાણવું હોય તો જઘન્યવર્ગણાના એક એક સ્કંધમાં જે પ્રદેશ રાશિ છે તેને સિદ્ધના અનંતમા ભાગની સંખ્યાતુલ્ય એવી અનંતની રાશિ વડે ગુણતાં જે આંક આવે તેટલા પ્રદેશોવાળા સ્કંધોની અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણા જાણવી. આઠ પ્રકારની અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓમાં જઘન્યથી ઉત્કૃષ્ટનું માપ (અભવ્યથી અનંતગુણ અથવા) સિદ્ધના અનંતમા ભાગના રાશિ વડે ગુણાકારવાળું અધિક જાણવું. પ્રશ્ન - અભવ્યથી અનંતગુણ અને સિદ્ધનો અનંતમો ભાગ એમ બે પ્રકારે આંક જણાવવાની શી જરૂર ? આ બન્નેમાંથી કોઇપણ એક પ્રકાર લખો તો પણ ચાલે ? બે લખવાનું પ્રયોજન શું ? ઉત્તર - અભવ્યથી અનંતગુણ એમ જો એક જ પ્રકાર કહે તો અનંતનો જે આંક છે તે અનંતપ્રકારનો હોવાથી ગ્રંથકારને જે આંક ઈષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy